હાર્ટ એટેક વિષે ખોટી માન્યતાઓ અને સાચી હકીકતો

હાર્ટ એટેક

હાર્ટ એટેક વિષે ખોટી માન્યતાઓ અને સાચી હકીકતો

હાર્ટ એટેક હમણાં ટોક ઓફ ટાઉન છે.. આજકાલ હાર્ટ એટેક વિષે સાચી ખોટી બહુ બધી માન્યતાઓ પ્રચલિત છે પણ તેની સાચી હકીકતો કોઈ નથી કહેતું. ચાલો જાણીએ…

માન્યતા ૧ : તે અમુક વય પછી આવે છે.
વાસ્તવિકતા ૧ : તેનો થ્રેશોલ્ડ હવે નીચે આવી ગયો છે. બાળકોને પણ હવે તે આવે છે..

માન્યતા ૨ : તે મેદસ્વી લોકોને આવે છે
વાસ્તવિકતા ૨ : તે પાતળા લોકોને પણ આવે છે.

માન્યતા ૩ : બેઠાડુ જીવન જીવતા લોકોને આવે છે.
વાસ્તવિકતા ૩: કસરતી જીવન જીવતા લોકોને પણ આવે છે.

માન્યતા ૪ : રસી લીધી હોય એવા લોકોને આવે છે
વાસ્તવિકતા ૪ : રસી ના લીધી હોય એમને પણ આવે છે.

માન્યતા ૫ : માંસ, મટન ખાવા વાળાને થાય છે
વાસ્તવિકતા ૫ : સાવ શાકાહારી ફળાહારી ને પણ થાય છે. (એની શક્યતા માંસાહારી કરતા ઓછી હોઈ શકે)

માન્યતા ૬ : સ્ટ્રેસ ને કારણે આવે છે.
વાસ્તવિકતા ૬ : સાવ સ્ટ્રેસ રહિત જીવન કાઢતા લોકોને પણ એટેક આવે છે..

માન્યતા ૭ : કોલેસ્ટેરોલ વાળાને આવે છે .
વાસ્તવિકતા ૭: કોલેસ્ટેરોલ અત્યંત ઉપયોગી સંયોજન છે. તે શરીરના બંધારણ માટે આવશ્યક છે.

તો એટેક આવવાનું સાચું કારણ શું?

એ છે કોલેસ્ટેરોલ નું નળીઓ માં ભરાઈ જવું. ચૌદ વર્ષના બાળકોમાં પણ નળીઓ બ્લોક જોવા મળે છે

તે નળીઓ માં ભરાઈ કેમ જાય? પહેલાં કેમ નહોતી ભરાતી.?

કોલેસ્ટેરોલ માંથી એક હોર્મોન બને છે જેનું જાણીતું નામ વિટામિન ડી ૨ અને ડી ૩ છે. આ હોર્મોન બનવાની પ્રોસેસ અત્યંત જટિલ છે. (એના આર્ટિકલ ગૂગલ પર ઉપલબ્ધ છે વાંચી શકો તો વાંચજો) પણ આ જટિલ પ્રોસેસ ના ચાવીરૂપ તત્વો સૂર્ય પ્રકાશ + કેલ્શિયમ+ વિટામિન સી + કોલેસ્ટેરોલ + આંતરડાના સુક્ષ્મ જીવો + શરીરનું તાપમાન + વ્યાયામ + શરીરનો રંગ છે. આ આઠ ચાવીરૂપ પરિબળો માંથી એકનું બેલેન્સ ગયું એટલે કોલેસ્ટેરોલ હીરોમાંથી વિલન બની જાય છે.

દિલની વાતો માંથી દિલની વાત : રસિક ઝવેરી નું પ્રસિદ્ધ પુસ્તક

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *