વાયુ ગેસ ની તકલીફ દૂર કરવા નો બેસ્ટ ઉપચાર
![વાયુ ગેસ ની તકલીફ](https://gujjumitro.com/wp-content/uploads/2020/07/hot-water-640x500.jpg)
વાયુ ગેસ ની તકલીફ દૂર કરવા નો બેસ્ટ ઉપચાર
૧. વાયુ ગેસ ની તકલીફ ન થાય તે માટે મરીનું ચૂર્ણ લસણ સાથે ભેળવીને લેવું.
૨. લીંબુના રસમાં મૂળાનો રસ મેળવી લેવાથી જમ્યા પછી થતો દુખાવો અને ગૅસ મટે છે.
૩. ભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી.
૪. અજમો અને સંચળનું ચૂર્ણ ફાકવાથી ગેસ મટે છે.
૫. ચીકણી સોપારીનો પા તોલો ભૂકો મોળા મઠ્ઠામાં સવારે લેવાથી ગેસ મટે છે.
૬. અજમો, સિંધવ અને હિંગ વાટી તેની ફાકી મારવાથી વાયુ મટે છે. પેટનો વાયુ અને ગોળો મટે છે.
૭. જીરાના પાઉડર સાથે અલ્પ પ્રમાણમાં હિંગ ભેળવીને આપવાથી પણ પેટમાંનો વાયુ દૂર થાય છે.
વિટામિન ની ગોળી જેવા નાગરવેલ ના અગણિત ફાયદા