આંખની આંજણી નો રામબાણ ઘરેલુ ઈલાજ

આંખની આંજણી નો ઈલાજ

આંખની આંજણી એટલે શું અને તે નો ઘરેલુ ઈલાજ

આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઇ શકે છે. તેમની આંખની પાંપણની નીચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઇ જાય છે. ભલે આ સમસ્યા જોવામાં નાની લાગે છે. પરંતુ તેના કારણે આંખમાં દુખાવો, બળતરા, ખંજવાળ, આંખમાંથી પાણી નીકળવાની સમસ્યા થાય છે.

આંજણી કેમ થાય છે?

આંજણી ને અંગ્રેજીમાં સ્ટાઈ કહે છે. બેક્ટેરિયા ઉત્પન્ન થવાથી વિટામિન A,Dની ઉણપને લઇને તેમજ કબજિયાત ના કારણે થનારી આ સમસ્યા આંખો માટે નુક્શાનદાયક હોય શકે છે. ઘણા લોકો નાની સમસ્યા સમજીને તેને અવગણે છે. તો ઘણા લોકો તેના માટે ઘરેલું ઉપચાર કરે છે. સમયસર તેનો ઇલાજ કરવા પર તમારી આંખો સુરક્ષિત રાખી શકાય છે. તો આવો જોઇએ કેવી રીતે આંજણીની સમસ્યા ઘરેલું ઉપચારથી 2-3 દિવસમાં દૂર કરી શકાય .

આંખમાં આંજણીના લક્ષણ :-


દુખાવો અને સૂજન આવવી
આંખમાં પાણી નીકળવું
આંખોમાં પપડી બની જવી
ખંજવાળ આવવી

આંખની આંજણી નો ઘરેલુ ઈલાજ

👉 આંબલીના બીજ :
આંખલીના બીજને બે દિવસ પાણીમાં પલાળી રાખો. તે બાદ તેને ચંદનની તેમ ઘસીને આંજણી પર લગાવો. આમ કરવાથી આંજણીની સમસ્યા 2 દિવસમાં દૂર થઇ જશે. તેમજ આંખોને રાહત મળે છે.

Turmeric

👉 હળદર :
પાણીને ગરમ કર્યા બાદ તેમા હળદર મિક્સ કરો. તે બાદ તેમા કાપડ ભીનુ કરો અને તેનાથી આજુબાજુ શેક કરો. દિવસમા ત્રણથી ચાર વખત કરવાથી આંખમાં થયેલી આંજણીથી રાહત મળે છે.

👉 જામફળના પાન :
જામફળના 4 પાન લઇને તેને પાણીમાં બરાબર ઉકાળી લો. તે બાદ તેને નવશેકુ થાય એટલે આંખો પર શેક કરો. દિવસમાં 3-4 આ રીતે કરવાથી તમારી આંખોને આરામ મળશે.તેમજ ઝડપથી આંજણીની સમસમ્યામાંથી છૂટકારો મળશે.

👉 એલોવેરા જેલ :
એલોવેરા જેલને દરરોજ આંજણી પર દિવસમાં 3-4 વખત લગાવો. તેને લગાવવાથી આંખોમાં દુખાવો, સૂજન અને ફોલ્લી દૂર થઇ જશે.

👉 ત્રિફલા ચૂર્ણ :
1/2 ચમચી ત્રિફલા ચૂર્ણને સવાર-સાંજ ગરમ દૂધ સાથે સેવન કરો. જેથી આંજણીની સાથે-સાથે સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ દૂર થઇ જશે.

આ પણ વાંચો : વૃદ્ધાવસ્થાની બીમારી નોક્ટુરિયા : રાત્રે વારંવાર પેશાબ આવવો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *