ગીલોય છે ગરીબના ઘરની ડોક્ટર – જાણો ગીલોય ના ફાયદા

ગીલોય ના ફાયદા

ગુજ્જુમિત્રો, ગીલોય છે ગરીબના ઘરની ડોક્ટર જે 70 રોગોને મૂળમાંથી મટાડે છે. તે બહુ આસાનીથી ગામમાં મળી જાય છે. તેને અંગ્રેજીમાં Heart-leaved moonseed કહેવાય છે. આવો, આજે આપણે સ્વાસ્થ્ય માટે ગીલોય ના ફાયદા અને અગણિત ગુણો વિષે જાણીએ.

આયુર્વેદમાં ગીલોય ના ફાયદા

ગીલોય એક પ્રકારની લતા/વેલ છે, જેને ગળો પણ કહે છે. જેના પાંદડા હૃદય આકારના છે. તે એટલા બધાં ગુણકારી હોય છે કે તેનું નામ અમૃતા રાખવામાં આવેલ છે. આયુર્વેદમાં ગીલોય ને તાવ માટે એક મહાન ઔષધી તરીકે ગણવામાં આવે છે. ગીલોય માં કુદરતી રીતે જ શરીરના દોષ ને સંતુલિત કરવાની શક્તિ જોવા મળે છે.

ગીલોય ના ફાયદા સ્વાસ્થ્ય સુખ માટે

ગીલોય નો રસ પીવાથી શરીરમાં મળી આવતી જુદા જુદા પ્રકારની બીમારીઓ દુર થવા લાગે છે. ગીલોય ના પાંદડા માં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત,કફ અને પિત્ત નાશક હોય છે. તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરના સ્વાસ્થ્ય ને લાભ મળે છે.

ગીલોય છે ગરીબના ઘરની ડોક્ટર

તે ગરીબના ઘરની ડોક્ટર છે કેમકે તે ગામ માં સરળતાથી મળી જાય છે. ગીલોય ખુબ ઝડપથી ફાલતી ફૂલતી વેલ હોય છે. ગીલોય ની ડાળીઓ નો પણ ઔષધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગીલોયની વેલ જીવનશક્તિ થી ભરપુર હોય છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે.

ગીલોયની રાસાયણિક સંરચના

ગીલોયની રાસાયણિક સંરચનાનુ વિશ્લેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીન આલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે. પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને શરીરમાં સ્ટાર્ચ પણ મળે છે. ઘણા પ્રકારના સંશોધન પછી જાણવામાં આવ્યું છે કે વાયરસ ઉપર ગીલોયની જીવલેણ અસર થાય છે. તેમાં સોડીયમ સેલીસીલેટ હોવાને કારણે વધુ પ્રમાણમાં દર્દ નિવારણ ગુણ મળી આવે છે. તે ક્ષયરોગના જીવાણુની વૃદ્ધી અટકાવે છે. તે ઇન્સ્યુલીનની ઉત્પતી ને વધારીને ગ્લુકોઝનું પાચન કરવું અને રોગના સંક્રમણો ને અટકાવવાનું કામ કરે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

ગીલોયમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો એક અગત્યનો ગુણ મળી આવે છે. ગીલોયમાં એન્ટીઓક્સીડેંટ ના જુદા જુદા ગુણ મળી આવે છે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, અને જુદા જુદા પ્રકારની ગંભીર બીમારીઓ દુર રાખવામાં મદદ મળે છે. લીવર અને કિડનીમાં મળી આવતા રાસાયણિક ઝેરી તત્વો ને બહાર કાઢવામાં પણ ગીલોય ના ફાયદા જોવા મળે છે. ગીલોય આપણા શરીરમાં થનારી બીમારીઓના જીવાણુઓ સામે લડીને લીવર અને મૂત્ર સંક્રમણ જેવી તકલીફો થી આપણા શરીરને સુરક્ષા આપે છે.

તાવ સામે લડવા માટે ઉત્તમ ઔષધી

ગીલોય ના ફાયદાને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ ને ઠીક થાય છે. ગીલોયમાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે. ગીલોય આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણ ને ઉત્પન થવાથી રોકવામાં ખુબ ઉપયોગી હોય છે. તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલ છે. જો મેલેરિયાની સારવાર માટે ગીલોયનો રસ અને મધ ને સરખા ભાગે દર્દીને આપવામાં આવે તો ખુબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખુબ મદદ મળે છે.

પાચન ક્રિયાને વ્યવસ્થિત કરે છે

ગીલોય ના ફાયદાને કારણે જ શારીરિક પાચન ક્રિયા પણ સંયમિત રહે છે. જુદા જુદા પ્રકારની પેટની તકલીફો ને દુર કરવામાં ગીલોય ખુબ જાણીતી છે. આપણા પાચન તંત્ર ને સુનિયમિત કરવા માટે જો એક ગ્રામ ગીલોય નો પાવડર ને થોડા એવા આંબળાના પાવડર સાથે નિયમિત રોતે લેવામાં આવે તો ખુબ ફાયદો થાય છે.

અસ્થમા નો સચોટ ઈલાજ

અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દર્દી ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો. ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. પણ શું તમે જાણો છો, કે અસ્થમા ના ઉપરોક્ત લક્ષણોને દુર કરવાના સૌથી સરળ ઉપાય છે, ગીલોય નો ઉપયોગ કરવો. જી હા હમેશા અસ્થમાના દર્દીઓ ની સારવાર માટે ગીલોય ના ફાયદા પ્રચલિત છે , અને તેનાથી અસ્થમાની તકલીફ થી છુટકારો પણ થવા લાગે છે.

eye pupil

આંખોની દ્રષ્ટિ વધારવા માટે

ગીલોય આપણી આંખોને સ્વસ્થ રાખવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે આપણી આંખોની દ્રષ્ટિ વધારે છે, જેને લીધે આપણે ચશ્માં પહેર્યા વગર પણ સારી રીતે જોઈ શકીએ છીએ. જો ગીલોયના થોડા પાંદડા પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ થાય તે આંખોની પાંપણ ઉપર નિયમિત રીતે લગાવવાથી ખુબ ફાયદો થાય છે.

સુંદરતા માટે પણ છે અસરકારક

ગીલોયનો ઉપયોગ કરવાથી આપણા ચહેરા ઉપરથી કાળા ડાઘ, ખીલ અને કરચલીઓ ઓછી થવા લાગે છે. ચહેરા ઉપર થી ઝુરીયા પણ ઓછી થવામાં ખુબ મદદ મળે છે. તે આપણી ત્વચાને તાજી રાખવામાં મદદ કરે છે. ગીલોય ના ફાયદાથી આપણી ત્વચાને સ્વસ્થ અને સુંદરતા જળવાય રહે છે. અને તેમાં એક પ્રકારની ચમક આવવા લાગે છે.

લોહી સંબંધિત રોગમાં ગીલોય ના ફાયદા

ઘણા લોકોમાં લોહીના પ્રમાણમાં ઉણપ જોવા મળે છે. જેના લીધે તેમણે શારીરિક નબળાઈનો અનુભવ થવા લાગે છે. ગીલોયનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં લોહી નું પ્રમાણ વધવા લાગે છે, અને ગીલોય આપણા લોહીને શુદ્ધ કરવામાં ખુબ જ ફાયદાકારક છે.

Obese

મોટાપામાં ગીલોય ના ફાયદા

નાગરમોથા, હરડે અને ગીલોયને સરખા ભાગે ભેળવીને ચૂર્ણ બનાવી લો. તેમાં 1-1 ચમચી ચૂર્ણ મધ સાથે દિવસમાં 3 વખત લેવાથી મોટાપા ના રોગમાં પણ ફાયદો થાય છે. હરડે,બહેડા, ગીલોય અને આંબળા ની રાબ માં સુદ્ધ શિલાજીત પકવીને ખાવાથી મોટાપાને વધતો અટકાવે છે. 3 ગ્રામ ગીલોય અને 3 ગ્રામ ત્રિફળા ચૂર્ણ સવાર અને સાંજે મધ સાથે ચાટવાથી મોટાપો ઓછો થઇ જાય છે.

શરીર માટે શક્તિવર્ધક

લગભગ 4 વર્ષ જૂની ગીલોય જો કે લીમડો કે આંબા ના ઝાડ ઉપર સારી રીતે પાકી ગઈ હોય. હવે આ ગીલોય ના 4-4 ટુકડા આંગળી જેવડા કરી લો. હવે તેને પાણીથી સાફ કરીને કુટી લો અને પછી તેને સ્ટીલના વાસણમાં લગભગ 6 કલાક સુધી પલાળીને મૂકી દો.ત્યાર પછી તેને હાથથી ખુબ મસળી ને મિક્સર માં નાખીને વાટો અને ગાળીને તેના રસને જુદો કરી લો અને તેને ધીમેથી બીજા વાસણમાં પાથરી દો અને આમ કરવાથી વાસણમાં નીચે ઝીણું ચૂર્ણ જામી જશે પછી તેમાં બીજું પાણી નાખીને મૂકી દો. ત્યાર પછી પાણીને પણ ઉપરથી નીતારી લો. આવું બે થી ત્રણ વાર કરવાથી એક ચમકદાર સફેદ રંગનું ઝીણું વાટેલું ચૂર્ણ મળશે. તેને સુકવીને કાંચના વાસણમાં ભરીને મૂકી દો. ત્યાર પછી લગભગ 10 ગ્રામના પ્રમાણમાં ગાયના તાજા દૂધ સાથે તેમાં ખાંડ નાખીને લગભગ 1 કે 2 ગ્રામના પ્રમાણમાં ગીલોય નો રસ નાખી દો. ઝીણો તાવ આવે ત્યારે ઘી અને ખાંડ સાથે કે મધ અને પીર્પ સાથે કે ગોળ અને કાળી જીરી સાથે સેવન કરવાથી શરીરમાં થતા જુદા જુદા પ્રકારની બીમારીઓ ઠીક થઇ જાય છે અને શરીરમાં નવી શક્તિનો વધારો થાય છે.

ગિલોય ના ફાયદા

ગીલોય ના ફાયદા – ૧ નહીં, પૂરા ૫૦ !!!!

  1. રક્તપિત્ત (લોહી વાળુ પિત્ત) : 10-10 ગ્રામ જેઠીમધ, ગીલોય અને દ્રાક્ષ લઈને 500 મી.લી. પાણીમાં ઉકાળીને રાબ બનાવો. આ રાબનો 1 ગ્લાસ રોજ 2-3 વખત પીવાથી રક્તપિત્ત ના રોગમાં ફાયદો મળે છે.
  2. ખંજવાળ : હળદર ને ગીલોયના પાંદડાના રસ સાથે વાટીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો અને 3 ચમચી ગીલોયનો રસ અને 1 ચમચી મધ ને ભેળવીને સવાર સાંજ પીવાથી ખંજવાળ એકદમ મટી જાય છે.
  3. રક્તપિત્ત (લોહી વાળુ પિત્ત) : 10-10 ગ્રામ જેઠીમધ, ગીલોય અને દ્રાક્ષ લઈને 500 મી.લી. પાણીમાં ઉકાળીને રાબ બનાવો. આ રાબનો 1 ગ્લાસ રોજ 2-3 વખત પીવાથી રક્તપિત્ત ના રોગમાં ફાયદો મળે છે.
  4. ખંજવાળ : હળદર ને ગીલોયના પાંદડાના રસ સાથે વાટીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો અને 3 ચમચી ગીલોયનો રસ અને 1 ચમચી મધ ને ભેળવીને સવાર સાંજ પીવાથી ખંજવાળ એકદમ મટી જાય છે.
  5. મૂત્રકુચ્છ (પેશાબ કરવામાં તકલીફ કે બળતરા) : ગીલોયનો રસ કીડની ની કામગીરીને ઝડપી બનાવીને પેશાબના પ્રમાણને વધારીને તેના અટકાવને દુર કરે છે. વાત વિકૃત્તિ થી ઉભા થતા મૂત્રકુચ્છ (પેશાબમાં બળતરા) રોગ માં પણ ગીલોયનો રસ ફાયદાકારક છે.
  6. રક્તપદર : ગીલોયના રસનું સેવન કરવાથી રક્તપદર માં ખુબ ફાયદો થાય છે.
  7. ચહેરા ઉપર ડાઘ-ધબ્બા : ગીલોયની વેલ ઉપર લાગેલા ફળને વાટીને ચહેરા ઉપર ઘસવાથી ચહેરા ઉપરથી મુહાસે, ફોડકા-ખીલ અને કરચલી દુર થઇ જાય છે.
  8. સફેદ ડાઘ : સફેદ ડાઘ ના રોગમાં 10થી 20 મી.લી. ગીલોય નો રસ રોજ 2-3 વખત થોડા મહિના સુધી સફેદ ડાઘ વાળી જગ્યા ઉપર લગાવવાથી ફાયદો થાય છે.
  9. પેટના રોગો : 18 ગ્રામ તાજી ગીલોય, 2 ગ્રામ અજમો અને નાની પીપર, 2 લીમડાના ઠળિયા ને વાટીને 250 મી.લી. પાણી સાથે માટીના વાસણમાં ફૂલવવા માટે રાતના સમયે મૂકી દો અને સવારે તેને ગાળીને રોગીને રોજ 15 થી 30 દિવસ સુધી પીવરાવવાથી પેટના તમામ રોગોમાં આરામ મળે છે.
  10. સાંધાના દુઃખાવા (ગઠીયા) : ગીલોયનું 2-4 ગ્રામ ચૂર્ણ, દૂધ સાથે દિવસમાં 2 થી 3 વખત સેવન કરવાથી ગઠીયાનો રોગ ઠીક થઇ જાય છે.
  11. વાતજ્વર : ગભ્ભારી, બિલ્વ, અર્ની, શ્યોનાક (સોનાપાઠા), અને પાઢલ તેના થડની છાલ અને ગીલોય, આંબળા, ધાણા તે બધું સરખા ભાગે લઈને રાબ બનાવી લો. તેમાં થી 20-30 ગ્રામ રાબ દિવસમાં 2 વખત સેવન કરવાથી વાતજ્વર ઠીક થઇ જાય છે.
  12. શીતપિત્ત (લોહીવાળું પિત્ત) : 10 થી 20 ગ્રામ ગીલોયના રસમાં બાવચી ને વાટીને લેપ બનાવી લો. આ લેપને લોહીવાળા પિત્ત ની બન્ને તરફ લગાવો અને માલીશ કરવાથી શીતપિત્ત નો રોગ ઠીક થઇ જાય છે.
  13. જીર્ણજ્વર (જુનો તાવ) : જીર્ણ જ્વર કે 6 દિવસથી વધુ સમય સુધી આવી રહેલ તાવ અને ન ઠીક થતા તાવ ની સ્થિતિમાં સારવાર કરવા માટે 40 ગ્રામ ગીલોયને સારી રીતે વાટીને, માટીના વાસણમાં 250 મી.લી. પાણીમાં ભેળવીને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારના સમયે તેને મસળીને ગાળીને પી લો. આ રસને રોજ દિવસમાં 3 વખત લગભગ 20 ગ્રામ ના પ્રમાણમાં પીવાથી ફાયદો થાય છે. 20 મી.લી. ગીલોયના રસમાં 1 ગ્રામ પીપરી અને 1 ચમચી મધ ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી જીર્ણજ્વર, કફ, પ્લીહારોગ (તીલ્લી), ખાંસી અને અરુચિ (ભોજન સારું ન લાગવું) વગેરે રોગ માં સારું થઇ જાય છે.
  14. વમન : ગીલોયનો રસ અને સાકરને ભેળવીને 2-2 ચમચી ગીલોયની રાબ બનાવીને ઠંડી કરીને પીવાથી ઉલ્ટી થવાનું બંધ થઇ જાય છે.
  15. પેચીશ (સંગ્રહણી) : 20 ગ્રામ પુનર્રવા, ક્તુકી, ગીલોય, લીમડાની છાલ, પટોલપત્ર, સુંઠ, દારૂહળદર, હરડે વગેરે ને ૩૨૦ મી.લી. પાણીમાં ભેળવીને તેને ઉકાળો જયારે તે 80 ગ્રામ રહે તો આ રાબ ને 20 ગ્રામના પ્રમાણમાં સવાર સાંજ પીવાથી પેચીશ ઠીક થઇ જાય છે. 1 લીટર ગીલોયના રસમાં, તેમાં 250 ગ્રામ તેના ચૂર્ણને 4 લીટર દૂધ અને 1 કિલોગ્રામ ભેંશ ના ઘી માં ભેળવીને તેને હળવા તાપ ઉપર પકાવો જયારે તે 1 કિલો ગ્રામ વધે તો તેને ગાળી લો. તેમાં થી 10 ગ્રામ ના પ્રમાણમાં 4 ગણું ગાયના દુધમાં ભેળવીને સવાર સાંજ પીવાથી પેચીશ રોગમાં સારું થઇ જાય છે અને તેનાથી કમળો અને હલીમક રોગ ઠીક થઇ શકે છે.
  16. ડાયાબીટીસ : જો તમારા શરીરમાં લોહીમાં મળી આવતી શુગરનું પ્રમાણ વધુ છે તો ગીલોયનો રસ નિયમિત રીતે પીવાથી આ પ્રમાણ પણ ઓછું થવા લાગે છે.
  17. આંખની બીમારી : લગભગ 11 ગ્રામ ગીલોયના રસમાં 1-1 ગ્રામ મધ અને સિંધાલુમીઠું ભેળવીને, તેને ખુબ સારી રીતે ગરમ કરો અને પછી તે ઠંડુ કરીને આંખો ઉપર લગવવાથી આંખના ઘણી જાતના રોગ દુર થઇ જાય છે. ગીલોય ના ફાયદા થી પિલ્લ, બવાસીર, ખરજવું, લિંગનાશ અને શુક્લ અને કૃષ્ણ પટલ વગેરે રોગ પણ ઠીક થઇ જાય છે. ગીલોયના રસમાં ત્રિફળા ને ભેળવીને રાબ બનાવી લો. તેને પીપરના ચૂર્ણ અને મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ વધી જાય છે અને આંખો સાથે જોડાયેલ ઘણી જાતના રોગો દુર થઇ જાય છે.
  18. કફ : કફ થી પીડિત દર્દીને જો થોડી એવી ગીલોયનો રસ છાશ સાથે ભેળવીને આપવાથી દર્દીની તકલીફ ઓછી થવા લાગે છે.
  19. દાંતમાં પીળાશ :ગીલોય અને બાવળ ના ફળને સરખે ભાગે ભેળવીને વાટી લો અને સવાર સાંજ નિયમિત રોતે તેનું મંજન કરો તેનાથી આરામ મળશે.
  20. ક્ષય (ટી.બી.) : ગીલોય, કાળામરી, વંશલોચન,ઈલાયચી વગેરે ને સરખા ભાગે લઈને ભેળવી લો. તેમાં 1-1 ચમચીના પ્રમાણમાં દૂધ સાથે થોડા અઠવાડિયા સુધી લેવાથી ક્ષયનો રોગ દુર થઇ જાય છે. કાળા મારી, ગીલોયનું ઝીણું ચૂર્ણ , નાની ઈલાયચીના બે દાણા, અસલી વંશલોચન અને ભીલવા સરખા પ્રમાણમાં વાટીને કપડાથી ગાળી લો. તેમાં થી 130 મીલીગ્રામ પ્રમાણે માખણ કે મલાઈમાં ભેળવીને દિવસમાં 3 વખત સેવન કરવાથી ટીબી નો રોગમાં સારું થઇ જાય છે.
  21. વાતરક્ત : ગીલોયના 5-10 મી.લી. રસા અથવા 3-6 ગ્રામ ચૂર્ણ કે 10-20 ગ્રામ કલ્ક અથવા 40-60 ગ્રામ રાબને રોજ સતત થોડો સમય સુધી પીવાથી રોગી વાતરક્ત થી મુક્ત થઇ જાય છે.
  22. લોહીનું કેન્સર : લોહીના કેન્સરથી પીડિત રોગીને ગીલોયના રસમાં જવાખાર ભેળવીને સેવન કરાવવાથી તેનું લોહીનું કેન્સર ઠીક થઇ જાય છે. ગીલોય લગભગ 2 ફૂટ લાંબી અને એક આંગળી જેટલી મોટી, 10 ગ્રામ ઘઉં ના લીલા પાંદડા લઈને થોડા પાણીમાં ભેળવીને વાટી લો પછી તેને કપડામાં રાખીને નીચોવીને રસ કાઢી લો. આ રસના એક કપના પ્રમાણમાં ખાલી પેટ સેવન કરવાથી ફાયદો થાય છે.
  23. આંતરિક તાવ : 5 ગ્રામ ગીલોયના રસમાં થોડું મધ સાથે ભેળવીને ચાટવાથી આંતરિક તાવ ઠીક થઇ જાય છે. ગીલોયની રાબ પણ મધ સાથે ભેળવીને પીવું લાભદાયક છે.
  24. અજીર્ણ (અસાધ્ય) જ્વર : ગીલોય, નાની પીપર, સુંઠ, નાગરમોથા અને ચીરયતા આબધુ જ વાટીને રાબ બનાવી લો. આ રાબ પીવાથી અજીર્ણજન્ય તાવ ઓછો થઇ જાય છે.
  25. પૌરૂષ શક્તિ : ગીલોય, મોટું ગોખરું અને આંબળા સરખા ભાગે લઈને વાટીને ચૂર્ણ બનાવી લો. તેમાંથી 5 ગ્રામ ચૂર્ણ રોજ સાકર અને ઘી સાથે ખાવાથી પૌરૂષ શક્તિમાં વધારો થાય છે.
  26. વાત-કફ જ્વર : વાત કે તાવ આવે તો 7 દિવસની સ્થિતિમાં ગીલોય, પીપરીમૂળ,સુંઠ અને ઇન્દ્ર્જો ને ભેળવીને રાબ બનાવીને પીવાથી ફાયદો થાય છે.
  27. દમ (શ્વાસ નો રોગ) : ગીલોયના થડ ની છાલ ને વાટીને મઠા સાથે લેવાથી શ્વાસ નો રોગ ઠીક થઇ જાય છે. 6 ગ્રામ ગીલોયનો રસ, 2 ગ્રામ ઈલાયચી અને 1 ગ્રામ ના પ્રમાણમાં વંશલોચન મધમાં ભેળવીને ખાવાથી ક્ષય અને શ્વાસ રોગમાં સારું થઇ જાય છે.
  28. મેલેરિયા તાવ : ગીલોય 5 લાંબા ટુકડા અને 15 કાળા મરી ને ભેળવીને વાટીને 250 મી.લી. પાણીમાં નાખીને ઉકાળી લો. જયારે તે 58 ગ્રામ વધે તો તેનું સેવન કરો તેનાથી મેલેરિયા તાવની સ્થિતિમાં ફાયદો થાય છે.
  29. તાવ : ગીલોય 6 ગ્રામ, ધાણા 6 ગ્રામ, લીમડાની છાલ 6 ગ્રામ, પધાખ 6 ગ્રામ અને લાલ ચંદન 6 ગ્રામ આ બધાને ભેળવીને રાબ બનાવી લો. આ બનેલી રાબ સવારે અને સાંજે પીવાથી દરેક પ્રકારનો તાવ ઠીક થઇ જાય છે.
  30. કફ અને ખાંસી : ગીલોયને મધ સાથે ચાટવાથી કફ વિકાર દુર થાય છે.
  31. જીભ અને મોઢામાં સુકાપણું : ગીલોય (ગુરુચ) નો રસ 10 મી.લી. થી 20 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને ખાવ પછી જીરું અને સાકરનું સરબત પીવો. તેનાથી ગળામાં બળતરા ને લીધે થતા મોઢામાં સુકાપણું દુર થઇ જાય છે.
  32. જીભની પ્રદાહ અને સોજો : ગીલોય, પીપર અને રસૌતની રાબ બનાવીને તેના કોગળા કરવાથી જીભની બળતરા અને સોજો દુર થઇ જાય છે.
  33. મોઢાની અંદર છાલા : ધમાસા,હરડે, જાવિત્રી, દખ, ગીલોય, બહેડા અને આંબળા આ બધાને સરખા ભાગે લઈને રાબ બનાવી લો. ઠંડી પડે એટલે તેમાં મધ ભેળવીને પીવાથી મુખપાક દુર થાય છે.
  34. શારીરિક નબળાઈ : 1૦૦ ગ્રામ ગીલોય ની લય, 100 ગ્રામ અનંતમૂળનું ચૂર્ણ, બન્નેને એક સાથે 1 લીટર ઉકળતા પાણીમાં ભેળવી દો કોઈ બંધ વાસણમાં મૂકી દો. 2 કલાક પછી મસળી ગાળીને સુકવી લો. તેનો 50-100 ગ્રામ રોજ 2-3 વખત સેવન કરવાથી તાવ ને લીધે આવેલ શારીરિક નબળાઈ દુર થાય છે.
  35. એઇડ્સ (એચ.આઈ.વી.) : ગીલોય નો રસ 7 થી 10 મી.લી., મધ કે કડવા લીમડાનો રસ અથવા દાળ ચૂર્ણ કે હરિદ્રા, ખદીર અને આંબળા એક સાથે રોજ 3 વખત ખાવાથી એઈડ્સમાં ફાયદો મળે છે. તે ઉપસતા ઘાવ, પ્રમેહ જન્ય મૂત્રસંસ્થાન ના રોગ નાશક અને જીર્ણ પુતિ કેન્દ્ર જન્ય વિકાર નાશક માં
    ફાયદાકારક રહે છે.
  36. ભગંદર : ગીલોય, સુંઠ,પુનર્વવા, બરગદ ના પાંદડા અને પાણીની અંદરની ઈંટ આ બધાને સરખા ભાગે લઇ લો, અને વાટીને ભગંદર ઉપર લેપ કરવાથી જો ભગંદર ની ફોડકી પાકી ન હોય તો તે ફોડકી બેસી જાય છે. ગીલોય, સોઠી ના મૂળ,સુંઠ,જેઠીમધ અને બેરીના કોમળ પાંદડા તેને જરૂરી વાટીને તેને હળવું ગરમ કરીને ભગંદર ઉપર લેપ કરો તેનાથી લાભ થાય છે.
  37. યકૃત કે જીગરનો રોગ : ગીલોય, અતિસ, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથી ગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ 3-6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે પ્લીહા, કમળાનો રોગ, અગ્નિમાન્ધ (અપચો), ભૂખ ન લાગવી, જુનો તાવ અને પાણી બદલાવાને લેધે થતા રોગો ઠીક થઇ જાય છે.
  38. તરસ વધારે લાગવી : ગીલોયનો રસ 6 થી 10 મી.લી. ના પ્રમાણમાં દિવસમાં ઘણી વખત લેવાથી તરત છીપાય છે.
  39. પિત્ત વધવો : ગીલોયનો રસ 7 થી 10 મી.લી. રોજ 3 વખત મધ સાથે ભેળવીને ખાવ તેનાથી લાભ થશે.
  40. મધુમેહ : મધુમેહ માં ગીલોય ના ફાયદા ઘણા અસરકારક છે. 40 ગ્રામ લીલી ગીલોયનો રસ, 6 ગ્રામ પાષાણ ભેદ અને 6 ગ્રામ મધ ને ભેળવીને 1 મહિના સુધી પીવાથી મધુમેહ રોગ ઠીક થઇ જાય છે. કે 20-50 મી.લી. ગીલોયનો રસ સવારે સાંજે સરખા પ્રમાણમાં પાણી સાથે મધુમેહ ના રોગીને સેવન કરાવો કે રોગીને જયારે જયારે તરસ લાગે તો તેનું સેવન કરાવો તેનાથી ફાયદો થશે. કે 15 ગ્રામ ગીલોયનું ઝીણું ચૂર્ણ અને 5 ગ્રામ ઘી ને ભેળવીને દિવસમાં 3 વખત રોગીને સેવન કરાવો તેનાથી મધુમેહ (શુગર) રોગ દુર થઇ જાય છે.
  41. સાંધાના દુઃખાવા (ગઠીયા) : ગીલોય અને સુંઠ ને એક સરખા પ્રમાણમાં લઈને તેની રાબ બનાવીને પીવાથી જુનામાં જુનો ગઠીયા રોગમાં ફાયદો થાય છે. કે ગીલોય, હરડેની છાલ, ભીલાવા, દેવદાર, સુંઠ અને સાઠી ના મૂળ આ બધાને 10-10 ગ્રામના પ્રમાણમાં લઈને વાટીને ચૂર્ણ બનાવી લો અને નાની બોટલમાં ભરી લો. તેની અડધી ચમચી ચૂર્ણ અડધો કપ પાણીમાં પકવીને ઠંડુ થાય એટલે પી લો. તેનાથી રોગીના ગોઠણ નો દુખાવો ઠીક થઇ જશે. કે ગોઠણનો દુઃખાવો દુર કરવા માટે ગીલોયનો રસ અને ત્રિફળા નો અડધો કપ પાણીમાં ભેળવીને સવાર સાંજ ભોજન પછી પીવાથી ફાયદો થાય છે.
  42. પેટમાં દુઃખાવો : ગીલોય નો રસ 7 મી.લી. થી લઈને 10 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને સવાર અને સાંજ સેવન કરવાથી પેટનો દુઃખાવો ઠીક થઇ જાય છે.
  43. કમળાનો રોગ : ગીલોય અથવા કાળા મરી અથવા ત્રિફળા નું 5 ગ્રામ ચૂર્ણ મધ સાથે ભેળવીને રોજ સવાર સાંજ ચાટવાથી કમળાના રોગમાં લાભ થાય છે. કે ગીલોયની માળા ગળામાં પહેરવાથી કમળાનો રોગ કે પીળિયો માં લાભ થાય છે. કે ગીલોયનો રસ 1 ચમચીના પ્રમાણ માં દિવસમાં સવારે અને સાંજે સેવન કરો.
  44. સુકો રોગ (રીકેટસ) : લીલી ગીલોયના રસમાં બાળકનો કુર્તો અન્ગીને સુકવી લો અને તે કુર્તો સુકા રોગથી પીડિત બાળકને પહેરાવી રાખો. તેનાથી બાળક થોડા જ દિવસમાં સાજુ થઇ જશે. માનસિક અસ્થિર (ગાંડપણ) : ગીલોય ની રાબ બ્રાહ્મી સાથે પીવાથી ગાંડપણ દુર થાય છે.
  45. શરીરમાં બળતરા : શરીરમાં બળતરા કે હાથ પગની બળતરા માં 7 થી 10 મી.લી. ગીલોયના રસને ગુગળ કે કડવો લીમડો કે હરિદ્ર, ખાદીર અને આંબળા સાથે ભેળવીને રાબ બનાવી લો. રોજ 2 થી 3 વખત આ રાબ નું સેવન કરવાથી શરીરમાં થતી બળતરા દુર થઇ જાય છે.
  46. કોઢ : 100 મી.લી. એકદમ ચોખ્ખી ગીલોયનો રસ અને 10 અનંતમૂળ નું ચૂર્ણ 1 લીટર ઉકળતા પાણીમાં ભેલ્વીનેકોઈ બંધ વાસણમાં 2 કલાક માટે રાખી
  47. મુકો. 2 કલાક પછી તેને વાસણમાં કાઢીને મસળીને ગાળી લો. તેમાંથી 50 થી 100 ગ્રામ ના પ્રમાણમાં રોજ દિવસમાં 3 વખત સેવન કરવાથી લોહી સાફ થવાથી કોઢ ના રોગમાં સારું થઇ જાય છે.
  48. લોહીની ઉણપ : ૩૬૦ મી.લી. ગીલોયના રસમાં ઘી ભેળવીને રોજ સવાર સાંજ સેવન કરવાથી શરીરમાં લોહીની વૃદ્ધી થાય છે. કે ગીલોય 24 થી 36 મીલીગ્રામ સવાર દ્સંજ મધ અને ગોળ સાથે સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દુર થઇ જાય છે.
  49. માથા નો દુઃખાવો : મેલેરિયા ને લીધે થતા માથાના દુઃખાવા ને ઠીક કરવા માટે ગીલોયની રાબનું સેવન કરો.
  50. વધુ પરસેવો આવવો કે દુર્ગંધ આવવી : 20 થી 40 મી.લી. ગીલોયનું સરબત 4 ગણા પાણીમાં ભેળવીને સવાર સાંજ ના સમયે પીવાથી દુર્ગંધ વાળો પરસેવો નીકળવાનું બંધ થઇ જાય છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *