ઓલ ઈન વન ચૂર્ણ ના ફાયદા અનેક

ઓલ ઈન વન ચૂર્ણ

ઓલ ઈન વન ચૂર્ણ ના ફાયદા અનેક

ગુજ્જુમિત્રો, આજકાલ ઘણા બધા પ્રકારના ચૂર્ણ, ઉકાળા અને ઘરગથ્થું ઉપચાર સાંભળવામાં આવે છે. પણ આજે હું તમને એક એવા ચૂર્ણ વિષે કહેવા માગું છું જે બધા પ્રકારની બીમારીમાં રામબાણ છે એટલે જ આ ચૂર્ણને આપણે ઓલ ઈન વન ચૂર્ણ કહીશું. વધુ જાણવા માટે વાંચો : ઓલ ઈન વન ચૂર્ણ ના ફાયદા અનેક

ચૂર્ણ બનાવવાની સામગ્રી

મેથી ૫૦ ગ્રામ,
સુંઠ ૫૦ ગ્રામ,
હળદર ૫૦ ગ્રામ,
હરડે ૫૦ ગ્રામ,
અશ્વગંધા ૨૫ ગ્રામ,
શતાવરી ૨૫ ગ્રામ,
જેઠીમધ ૨૫ ગ્રામ.

ચૂર્ણ ના ફાયદા અનેક

ચૂર્ણની વિધિ

  • ઉપરની ૭ વસ્તુઓનો પાવડર બનાવો અને તેને મીક્સ કરો.
  • ડબ્બા, શીશી અથવા બરણી માં ભરો.
  • રાત્રે સુતી વખતે અથવા સવારે નરણાકોઠે હૂંફાળા ગરમ પાણી સાથે ૧ ચમચી પાવડર લેવો.
  • આ પાઉડર બધી ઉંમર ની વ્યક્તિ લઈ શકે છે.

ચૂર્ણ શા માટે લેવું જોઈએ?

દરરોજ નિયમિત પાવડર લેવાથી શરીરમાં સંગ્રહિત ગંદકી મળ અને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. ૮૦ થી ૯૦ દિવસોમાં સંપૂર્ણ લાભ થશે, વધારાની ચરબી ઓગળી જશે અને નવું શુદ્ધ લોહી ફેલાશે. ત્વચાની કરચલીઓ મટી જશે. શરીર તેજસ્વી, ગતિશીલ અને સુંદર, સ્ફુર્તિવાન બનશે.

ચૂર્ણ ના ફાયદા અનેક

  1. સંધિવા દૂર થશે અને સંધિવા જેવા હઠીલા રોગો દૂર થશે.
  2. હાડકાં મજબૂત બનશે.
  3. આંખ ની રોશની વધશે.
  4. વાળ વિકાસ કરશે.
  5. કાયમી કબજિયાત થી છૂટકારો.
  6. નસોમાં લોહી ચાલવાનું શરૂ થશે.
  7. ઉધરસથી મુક્તિ થશે .
  8. હૃદયની કાર્યક્ષમતા વધશે.
  9. થાક લાગશે નહીં.
  10. મેમરી પાવર વધશે.
  11. સ્ત્રીનું શરીર લગ્ન પછી પણ સુડોળ બનશે.
  12. કાનની બહેરાશ દૂર થશે.
  13. ભૂતકાળમાં એલોપથી ડ્રગની આડ-અસરોથી મુક્તિ.
  14. લોહીમાં સ્વચ્છતા અને શુદ્ધતા વધશે.
  15. શરીરની બધી રક્તવાહિનીઓ સ્વચ્છ થઈ જશે.
  16. દાંત મજબૂત બનશે, પેઢા જીવંત રહેશે.
  17. નપુંસકતા દૂર થશે. જીવન તંદુરસ્ત, આનંદપ્રદ, ચિંતા-મુક્ત બનશે.
  18. મરડો,પગ-ગોઠણના દુખાવા પણ મટી જશે.
  19. ડાયાબીટીસ થી રાહત મળશે.
  20. રોગપ્રતિકારક શક્તિ વધશે.

ગુજ્જુમિત્રો, આ ચૂર્ણ ના ફાયદા અનેક છે. તેને બનાવવાની વિધિ સરળ હોવાને કારણે તે ખૂબ પ્રચલિત છે. જો તમને સ્વાસ્થ્ય સંબંધી લેખો વાંચવા હોય તો અહીં ક્લીક કરો.

You may also like...

1 Response

  1. NITIN says:

    Superb

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *