આભ વરસે તો છત્રી લઉ પણ નયન વરસે તો શું કરું?
![નયન વરસે તો શું કરું](https://gujjumitro.com/wp-content/uploads/2021/06/heavy-rain.jpg)
આભ વરસે તો છત્રી લઉ પણ નયન વરસે તો શું કરું?
આભ વરસે તો હું છત્રી લઈ લઉ
પણ નયન વરસે તો હું શું કરું ?
સિંહ ગરજે તો હું ભાગી યે જઊ ,
પણ કોઇક નો અહંકાર ગરજે તો હું શું કરું ?
પગમાં કાટો ખટકે તો કાઢી લઊં ,
પણ કોકની વાત મનમાં ખટકે તો હું શું કરું ?
પીડા છલકે તો હું ગોળી લઈ લઉ,
પણ વેદના છલકે તો શું હું કરું ?
રસ્તે દેખાઓ તો સામે થી બોલાવી લઉં ,
પણ તમે રસ્તો બદલી નાખો તો હું શું કરું ?