ચાંદ પણ ઊંઘ્યો નહિ, આપના ગયા પછી

શરદ પૂનમ નું મહત્વ

ચાંદ પણ ઊંઘ્યો નહિ, આપના ગયા પછી

❛❛ચાંદ પણ ઊંઘ્યો નહિ,આપના ગયા પછી
રાત પણ વીતી નહીં,આપના ગયા પછી.

શબ્દો ની હતી જે રમત,પૂરી થઈ ગઈ,
દિલ હવે રહ્યું છે ક્યાં,આપના ગયા પછી.

ભૂલ હતી મારી કે તમારી, વાત એ છોડો હવે,
હવે તો ઝાંઝવા જ રહ્યા, આપના ગયા પછી.

ચાંદ પણ ઊંઘ્યો નહિ
ચાંદ પણ ઊંઘ્યો નહિ

આમ તો તમારા વિન,જિંદગી માં હતું જ શું?
જીરવી રહ્યો છું જિંદગી, આપના ગયા પછી.

એક જમાનો થયો છે ,એમના વિરહ ને,
મને આસ છે હઝી પણ આપના ગયા પછી!

શતરંજ જેવી છે જિંદગી,એક પ્યાદો છું હું પણ,
છે જિંદગી માં કેટલી બબાલ,આપના ગયા પછી.

તને જોઈએ કેટલું,એના મિલન થી વધુ,
હું ખુદ ને પણ કરું ફના,આપના ગયા પછી.❜❜

– તેજલ પ્રજાપતિ

Also read : વિટામિન ની ગોળી જેવા નાગરવેલ ના અગણિત ફાયદા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *