શરદ પૂનમ નું વૈજ્ઞાનિક મહત્વ અને ખડી સાકર

શરદ પૂનમ નું મહત્વ

શરદ પૂનમ નું વૈજ્ઞાનિક મહત્વ

ગુજજુમિત્રો, તમે બધાં શરદ પૂનમ નું પૌરાણિક મહત્ત્વ તો જાણતા જ હશો. આજે હું તમને આ લેખમાં શરદ પૂનમ નું મહત્વ વૈજ્ઞાનિક દૃષ્ટિએ જણાવવા માગું છું. આ લેખ માં તમે જાણશો કે કેવી રીતે ભારતીય પરંપરા માત્ર ધાર્મિક દૃષ્ટિ થી નહી પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ સર્વોત્તમ છે.

શરદ ઋતુ નો આરંભ

ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય એની વચ્ચેનો જે સમય છે એ છે શરદઋતુ. એટલે વર્ષોથી આપણે કોઈને આશીર્વાદ “શતમ જીવ શરદ:” તેવું બોલીએ છીએ કે 100 વર્ષની શરદ પૂર્ણિમા સુધી નિરોગી જીવન જીવતા રહો.

નીરોગી જીવનની કુંજી : પ્રકૃતિ સાથે જોડાયેલા રહો

કોઈ વ્યક્તિ જ્યારે પ્રકૃતિ સાથે સીધી જોડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે. વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આ દિવસે-રાત્રે ચંદ્રના જે કિરણો નીકળે છે એનાથી આપણા શરીરને નવી ઊર્જા મળે છે. ચંદ્રના કિરણો આ દિવસે આકાશમાંથી સાચું અમૃત વરસાવે છે.

દૂધ પૌઆની પ્રથા

ભારતમાં સદીઓથી શરદ-પૂનમની રાત્રે દૂધ, સાકર અને ચોખાથી બનેલી ખીર કે દૂધ પોઆ અગાસીમાં મૂકી રાખવાની પ્રથા છે. આખી રાત્રિ અથવા અમુક કલાક આ રીતે ખીરને અગાસીમાં રાખ્યા બાદ આરોગવામાં આવે તો ચંદ્રની આ ઊર્જા આપણને મળે છે. આપણે પ્રભુને કોઈ ચીજ ધરાવીએ એટલે પ્રભુની ઊર્જા એમાં પ્રવેશે છે અને એ ચીજ પ્રસાદ બની જાય છે. ખીરમાં ચંદ્રની ઊર્જા પ્રવેશવાથી આવી ખીર એક મહાપ્રસાદ બની જાય છે.

Full moon

શરદ પૂનમ ની ચાંદની માં બેસો

થોડોક સમય કાઢીને આપણે પણ જો શરદ પૂનમની રાત્રિએ અગાસીમાં બેસીએ તો આપણાં તન-મન ઉપર, આપણાં અગણિત ન્યૂરોન્સ પર એની અદભુત અસર થાય છે તો આવો શરદપુનમના તહેવારને વૈજ્ઞાનિક રીતે મનાવીએ.

ખડીસાકર ના ફાયદા

શરદ પૂનમની રાત્રિએ ચંદ્રની અંદરથી એવા ખાસ કિરણો નીકળે છે જે આપણા શરીરના આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે. શરદ પૂનમની રાત્રે આપણે જો ખડી સાકર (મોટા ટુકડાવાળી) ને અગાસીમાં મૂકી દઈએ તો આખી રાત્રિ ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોવાથી આ ચંદ્રના કિરણો આ ખડી સાકરમાં પ્રવેશે છે.

ખડી સાકર

શરદ પૂનમ અને ખડી સાકર

ગાંધીની દુકાનેથી 5 કિલો જેટલી ખડીસાકર ખરીદીને લાવવાની શરદ પૂનમે એટલે કે આસો સુદ પૂનમ, 31મી ઓક્ટોબર, શનિવારે 2020ની રાત્રે અગાસીમાં એક મલમલ જેવા આછા સફેદ કપડામાં એને મૂકી દેવાની ઉપર જાળી ઢાંકી શકાય. આપ જે ખાટલામાં સાકર મૂકો એનાં ચારે પાયાની નીચે પાણી ભરેલું વાસણ રાખવાનું આમ કરવાથી કીડી કે મંકોડા સાકરને ખાવા નહીં આવી શકે.

ચંદ્ર કિરણોથી શક્તિપૂરિત સાકર

સવાર સુધી આ ખડી સાકર અગાસીમાં રાખો એટલે ચંદ્રનાં શીતળ કિરણોની પિત્તશામક અસર એની અંદર આવી જશે. સવારે આ ખડી સાકરનાં થોડાંક નાના ટુકડા કરીને એને કાચની બરણીમાં ભરીને મૂકી રાખવાની. શરદપૂનમની રાત્રે ચંદ્રના કિરણોમાં મુકેલી આ ખડીસાકર આપ સૌના મનને શાંત રાખી શકે એટલી તાકાત ધરાવે છે.

શરીરમાં એસિડનું નિર્માણ

આપણુ લિવર પાચન માટે પિત (bile) બનાવે છે, આપણું પેટ એસિડ (hydrochloric acid) બનાવે છે અને આપણું સ્વાદુપિંડ (પેન્ક્રિઆસ) સ્વાદુપિંડ-રસ (pancreatic juice) બનાવે છે. આ બધું પાચનનું 4 થી 5 લિટર પ્રવાહી પેટમાં ભેગું થાય છે. જે આપણા શરીરને નિરોગી રાખવાનું અતિ મહત્વનું કામ કરે છે.

ખડી સાકર

ખડી સાકર સૌથી ઉત્તમ દવા

જ્યારે એસિડિટી થાય, પેટમાં દુઃખે, માથું દુઃખે ત્યારે આ ખડી સાકર ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થશે. પિત પેટમાંથી ઉપર ચડીને માથું દુઃખાડે છે. આવા સમયે આ ખડીસાકર ચૂસવાથી પિત શાંત થશે, સરવાળે માથું દુઃખતું મટશે. વર્ષ દરમિયાન આયુર્વેદની કોઈ પણ દવા કે અન્ય કિચન મેડિસીન લેતી વખતે એની સાથે આમાંથી થોડીક ખડીસાકર લેવાય તો એ દવાની અસર કરતાં વધુ સારી થશે.

ખડી સાકરની ભેટ

આવી રહેલા નવા વર્ષે આપનાં ઘેર કોઈ આવે ત્યારે નકલી દૂધનાં પેંડા, કાજુકતરી, બરફી કે મીઠાઈથી એનું મોં મીઠું કરાવવાને બદલે આવી ખડીસાકરથી કરાવશો તો એ વ્યક્તિને પણ લાભ થશે. આપ ઈચ્છો તો આવી સાકરનાં 100 થી 200 ગ્રામનાં પેકેટ આપના સ્વજનોને ભેટમાં આપીને નિરોગી રાખવા પ્રયત્ન પણ કરી શકો છો.

ગુજજુમિત્રો, સ્વાસ્થ્ય સંબંધિત લેખો વાંચવા માટે અહીં ક્લીક કરો.

You may also like...

1 Response

  1. NITIN says:

    બહુ જ સુંદર ????????????
    અભિનંદન ????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *