ગ્રહો અને નક્ષત્રો ની ખરાબ દશાથી છુટકારો અપાવશે આ ઉપાય

planets

ગ્રહો અને નક્ષત્રો ની ખરાબ દશાથી છુટકારો અપાવશે આ ચમત્કારિક ઉપાય

જીવનમાં સતત સંઘર્ષ આવવાથી ક્યારેક હિંમત હારી જવાય છે જીવનમાં થાક લાગે છે અને ઉત્સાહ જતો રહે છે ત્યારે જરૂરી છે કે જાણી લેવું કે આવુ કેમ થાય છે. જો તમારા ગ્રહો અને નક્ષત્રો ની દશા ખરાબ ચાલી રહી હોય તો તમે પણ સંકટોથી ઘેરાઇ જતાં હોવ છો. આપણે વિચારીએ કે એક સંકટ પતે તો શાંતિ થાય પણ એક સંકટમાંથી મુક્તિ ન મળી હોય ત્યાં નવું સંકટ માથે આવી જ પડયું હોય. આવી હાલતનું કારણ આપણી ગ્રહદશા હોય છે, ગ્રહદશા નબળી હોય ત્યારે તકલીફ ચારેબાજુથી ઘેરી વળતી હોય છે. તેમાંથી છુટકારો કેવી રીતે મેળવી શકાય તે જોઇએ.

coconut
ગ્રહો ની ખરાબ દશાથી છુટકારો

ગ્રહો અને નક્ષત્રોની શાંતિ માટે ઉપાય

🌸એક પાણીદાર નાળિયેર લેવું, તેને જે વ્યક્તિ સંકટમાંથી પસાર થતી હોય અથવા તો તમે પોતે સંકટનો સામનો કરી રહ્યા હોવ તો તમારા માથે 21 વાર ગોળ ફેરવવું, ગોળ ફેરવ્યા બાદ કોઇપણ દેવસ્થાને જઇને તે નાળિયેરને બાળી દેવું. (ગોળ ફેરવવું મતલબ કે નજર ઉતારતી વખતે લીંબુ માથેથી ઉતારીએ તે રીતે નાળિયેર ઉતારવું) આ ઉપાય અજમાવવાથી સમગ્ર સંકટ દૂર થશે.

🌸યાદ રાખો કે આ ઉપાય મંગળવાર કે શનિવારે જ અજમાવવો અને સળંગ પાંચ વાર અપનાવવો. ઘરમાં કોઇની તબિયત ખરાબ હોય તો તેમના માથેથી પણ આ રીતે નાળિયેર ઉતારી શકો છો.

ગ્રહો અને નક્ષત્રોની ખરાબ દશા થી છુટકારો અપાવશે આ ચમત્કારિક ઉપાય

🌸પ્રાણી અને પક્ષીને ભોજન આપો. ગાય, કૂતરા, કીડી, પક્ષીઓ, કાગડા કે કોઇપણ અશક્ત માણસને ભોજન આપો, તેમની દુઆ તમને સંકટમાંથી ઉગારશે, વેદોમાં પણ કહ્યું છે અબોલ તેમજ નિર્બળને ભોજન અને જળ અર્પણ કરવાથી તેમની દુઆ પ્રાપ્ત થશે.

🌸રોજ પક્ષીઓને દાણા નાખવાથી પિતૃ તૃપ્ત થાય છે.

🌸રોજ કીડીને દાણા આપવાથી દેવામાંથી મુક્તિ મળે છે.

🌸રોજ કૂતરાને રોટલી ખવડાવવાથી આકસ્મિક સંકટમાંથી છુટકારો મળે છે.

🌸 રોજ ગાયને રોટલી ખવડાવવાથી આર્થિક સંકટ દૂર થાય છે.

Also read : મધ્યમવર્ગીય પરિવારોમાં આર્થિક સ્થિતિ બગાડવાના દસ કારણો

You may also like...

1 Response

  1. Harsh says:

    Thank you ☺️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *