શિંગોડા ખાવાના ફાયદા અનેક રોગો સામે રક્ષણ આપે છે

શિંગોડા ખાવાના ફાયદા

શિંગોડા ખાવાના ફાયદા અનેક રોગો સામે રક્ષણ આપે છે

પાણીફળ શિંગોડા પાણીમાં ઉગતી એક પ્રકારની શાક છે જે સામાન્ય રૂપે સેપ્ટેમબરથી નવેમ્બર ડિસેમ્બરના મહીના સુધી મળે છે. તેમજ ન માત્ર ભારતમાં પણ ચાઈનીસ અને યુરોપીયન ફૂડસને બનાવવામં પણ તેનો ઉપયોગ કરાય છે. પાણીમાં થતી આ શાક ખૂબ મહત્વપૂર્ણ પોષક તત્વોનુ એક સારુ સ્ત્રોત છે. તેની સાથે જ જુદા-જુદા પ્રકારની સ્વાસ્થય સમસ્યાઓમાં પણ ફાયદાકારી ગણાય છે. આ એક ઋતુ શાક છે. જેના કારણે આ ૧૨મહીના બજારમાં નહી થાય. તેના માટે લોકો તેને સુકાવીને લોટના રૂપમાં ઉપયોગ કરે છે.

ખાસ કરીને વ્રતમાં તેના લોટથી હલવો અને બીજા ઘણા પ્રકારના ડીશ બનાવાય છે. તમને સિંગોડા ખાવાનું ગમશે, પરંતુ શું તમે જાણો છો કે તે શરીર માટે ખૂબ જ સારું છે સાથે જ તે અનેક રોગોને પણ દૂર કરે છે. શિયાળો આવતાની સાથે જ સિંગોડા, દુકાનોમાં જોવા મળતી હોય છે. લોકો તેને ખૂબ ઉત્સાહથી પણ ખાય છે. પણ શું તમે જાણો છો કે સિંગોડા, ગુણોની ખાણ છે. તેના ઘણા ફાયદા છે. તે તમને અનેક રોગોથી બચાવે છે. તમારે તેના ફાયદા પણ જાણવું જોઈએઃ

૧. અસ્થમાના દર્દીઓ માટે શિંગોડા ખૂબ ફાયદાકારક છે. નિયમિતપણે શિંગોડા ખાવાથી શ્વસન સમસ્યાઓથી પણ રાહત મળે છે.

છાતીમાં કફ
શિંગોડા ખાવાના ફાયદા

૨. શિંગોડા હરસ ના મસા જેવી મુશ્કેલ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અસરકારક સાબિત થાય છે.

૩. શિંગોડા ખાવાથી એડી ફાટવા પણ મટે છે. આ સિવાય જો શરીરમાં કોઈ જગ્યાએ દુઃખાવો કે સોજો આવે તો તેને પેસ્ટ લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.

૪. તેમાં કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ ખાવાથી બંને હાડકા અને દાંત મજબૂત રહે છે. તે આંખો માટે પણ ફાયદાકારક છે.

૫. ગર્ભાવસ્થા દરમિયાન શિંગોડા ખાવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે. તે કસુવાવડનું જોખમ પણ ઘટાડે છે. આ ઉપરાંત માસિકધર્મ ને સંબંધિત તકલીફો દૂર કરે છે.

આ પણ વાંચો : બાળકોને ત્વચા પર થતાં કરોળિયા રોગ ની આયુર્વેદિક સારવાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *