બિલી પત્રનું મહત્વ : હર હર મહાદેવ

બિલી પત્રનું મહત્વ

બિલી પત્રનું મહત્વ : હર હર મહાદેવ

૧ ) બીલી નું ઝાડ મહાદેવ સ્વરૂપ છે

૨) બિલી ની સેવા કરવાથી શ્રી લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે

૩)બિલી નો કાંટો વાગવા થી મુત્યુ ની પીડા હરાય છે

૪)બિલી ની પ્રદક્ષિણા કરવાથી અડસઠ તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે

૫) નાના મોટા જીવ જંતુ જાણે અજાણે મારિયા હોય તો બિલી ની પ્રદક્ષિણા થી જ એ પાપ ધોવાય છે

૬) બિલી ના ઝાડ નીચે શિવપુરાણ વચવાથી અક્ષય પુણ્ય મળે છે

૭)બિલી ના ઝાડ ને પાણી પીવડાવવા થી શિવ જી ના અભિષેક જેટલું જ પુણ્ય મળે છે

બિલી પત્રનું મહત્વ
બિલી પત્રનું મહત્વ

૮)બિલી ના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન મળે છે આધ્યાત્મિક તત્વજ્ઞાન , મુડતત્વ ની પાપ્તી થાય છે

૯) આ મુત્યુ લોક માં જેના ઘરે બિલી છે એને જ પવિત્ર માનવામાં આવી યા છે તેના ઘરે અડસઠ તીર્થો
બિરાજમાન છે

૧૦) બિલી ના ઝાડ નીચે પ્રાથીવ શિવલિંગ/માટી નું શિવલિંગ બનવાનો ખુબ મહિમા છે

૧૧)બિલી ના ઝાડ ની નીચે જે ઓમ નમઃ શિવાય મહા મંત્ર ની માળા કરે છે તો જેટલા બિલી ના પાન છે તેટલા પાન મહાદેવ ને ચડાયા હોય એટલું પુણ્ય મળે છે

૧૨)કોઈ પણ માળા ને સિદ્ધ કરવી હોય તો બિલી ના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ શિવાલય માં જાપ થતાં હોય તો પણ ૩ વાર તો બિલી ના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ

૧૩) બિલી નું જંગલ જે લોકો બનાવે છે ભવો ભવ શ્રી લક્ષ્મી ની પ્રાપ્તી થાય છે

૧૪) બિલી ના ઝાડ ને સ્પર્શ કરવા માત્ર થી અઘોર પાપો માંથી મુક્તિ મળે છે

૧૫)બિલી ના ઝાડ ના પાન એ જ તોડી શકે છે જેને વાવિયું છે જેને ઉછેરિયું હોય એને પણ તોડવાનો અધિકાર નથી ( શિવ રહસ્ય) જે વાવે એ જ તોડે

૧૬) જે દિવસે જીવ જંતુ ને મારિયા હોય એ દિવસે બિલી ની ૧૦૮ પ્રદક્ષિણા થી એ પાપ થી મુક્ત થઈ શકાય છે

૧૭) બિલી નું ઝાડ એ મહાદેવ સ્વરૂપ હોવાથી દરશન કરવાથી એ દિવસે ના પાપ ધોવાઇ જાય છે

૧૮) જેને આ ધરતી પર બિલી વાવી યા છે તેમને મહાદેવ ની દુનિયા માં વિશ્વ કલ્યાણ નું કામ કર્યું છે અને વિશ્વ કલ્યાણ એ જ શિવ નો સંકલ્પ છે જે થી એ જીવ ને શિવ પદ ની પ્રાપ્તિ થાય છે

બિલી પત્રનું મહત્વ
બિલી પત્રનું મહત્વ

૧૯) બિલી ના ઝાડ નીચે શિવ ભક્ત ને જમાડવા થી દ્રારિદ્ર નો નાશ થાય છે

૨૦) બિલી ના ઝાડ નીચે સૂવાથી કાલ રાત્રિ સુધરે છે

૨૧)બિલી ના ઝાડ નીચે ભોજન કરવાથી કાતો કરાવાથી ૬૮ તીર્થ માં ભોજન કરવાનું પુણ્ય મળે છે

૨૨) જે લોકો જ્યોતિર્લિંગ ની યાત્રા કરવામાં ( વૃદ્ધ લોકો )અસફળ હોય તે જીવ એ બિલી નો આશ્રય લેવો જોઈએ અને જે ઘર ની બિલી ની છાયા નીચે હોય તે ઘર ઘર નથી તીર્થ છે જીવ નું ખાવું પીવું સૂવું (જે ના ઘરે બિલી હોય )બિલી નીચે રાખવા માત્ર થી તીર્થો નું પુણ્ય મળે છે

૨૩) દેવતાઓ પણ બિલી ના ઝાડ ની સ્તુતિ કરે છે

૨૪) બિલી ના ઝાડ ના ક્યારા ને પાણી થી ભરી દેવાથી અને દીવો કરવાથી મહાદેવ મહાદેવ રાજી થાય છે

૨૫)બિલી ના ઝાડ નીચે થી શબ યાત્રા નીકળે તો જીવ મુક્ત થાય છે

૨૬) માત્ર ૧ જ બિલી વાવવાથી ૧ કરોડ શિવ મંદિર નિર્માણ નું પુણ્ય મળે છે

૨૭) શિવમંદિર માં પખાલ થઈ ગઈ હોય તો બિલી ના ઝાડ ને પાણી અર્પણ કરી દેવું જે મહાદેવ ને ચડાયા બરાબર છે

૨૮) બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ બિલી માં બિરાજમાન છે

૨૯)બિલી ના વૃક્ષ ને શ્રી વૃક્ષ કેહવાય છે

૩૦) જો (શક્ય હોય તો )જીવન માં ૧ વાર બિલી ના જંગલ માં ઝુપડું બનાઈને( ૩,૫ ,૧૧ રાત્રિ )રેહવું જેથી ભવે ભવઃ ના તમામ અઘોર પાપો માંથી મુક્તિ મળે છે અને શિવ પદ મળે છે.

Also read : શું તમારે જાણવું છે કે તમારા અંતિમ સંસ્કાર પછી સામાન્ય રીતે શું થશે?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *