કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી?

વેલેન્ટાઈન ડે એટલે શું

કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી

❛❛તમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !

વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી !

રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !

હું ઈન્તજારમાં ને તમે હો વિચારમાં,
એ પણ છે શરૂઆત, કૈં આખર-પ્રલય નથી !

એવું નથી કે એળે ગઈ મારી ઝંખના
એવું નથી કે સાવ તમારે હૃદય નથી !❜❜

– બાપુભાઈ ગઢવી

Also read : રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની આયુર્વેદિક ટીપ્સ

You may also like...

1 Response

  1. Anonymous says:

    Beautiful poem.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *