જીવન માં ધક્કો વાગતા શું છલકાશે? – ચિંતન કરવા યોગ્ય પ્રેરક વિચાર

રત્નસુંદર સુરીશ્વરજી

જીવન માં ધક્કો વાગતા શું છલકાશે? – ચિંતન કરવા યોગ્ય પ્રેરક વિચાર

ગુજજુમિત્રો, આજે હું જે પ્રેરક વિચાર લખી રહી છું તેના પર ધ્યાન થી વિચારજો અને જવાબ આપજો. તમારે આ જવાબ બીજા કોઈને નહીં પણ ખુદ પોતાના આત્માને જ આપવાનો છે.

ધારી લો કે આપણા હાથમાં ગરમ દૂધનો છલોછલ મલાઈ મઢેલો કપ હોય અને પીવાની તૈયારી કરતા જ હોઈએ ત્યાંજ પાછળથી કોઈ ઉતાવળમાં આવે. તેનો ધક્કો હાથને વાગે અને છલોછલ ભરેલા કપમાંથી ચારે તરફ દૂધ ઢોળાય જાય.

પણ શા માટે દૂધ ઢોળાય? તમે જવાબ આપશો, “અરે કોઈ પાછળથી ધક્કો મારે તો દૂધ ઢોળાય જ ને ?” ના, આ જવાબ પૂરો સાચો નથી. તમારા હાથમાંના કપમાંથી દૂધ ઢોળાય, કારણ કે કપ દૂધથી ભરેલો હતો.

જો કપ ચાથી ભરેલો હોત તો… ચા ઢોળાત !

કપની અંદર જે હોય એ છલકાયને બહાર આવી જાય… આ વાતમાં છુપાયેલો સંદેશ હવે સમજીએ.

સંદેશ એ છે કે આ છલોછલ ભરેલો કપ એ આપણે છીએ. જ્યારે જીવનમાં આપણને સમય-સંજોગ પ્રમાણે ધક્કો લાગે, ત્યારે આપણી અંદર જે હોય એ બહાર છલકાય છે.

જ્યાં સુધી ધક્કો ન વાગે ત્યાં સુધી તો આપણે બરાબર સારા બનવાનો દંભ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે
ન ગમતું બને, ધક્કો વાગે ત્યારે, હકીકતમાં અંદર રહેલું વ્યક્તિત્વ બહાર આવી જાય છે.

આપણે આપણી જાતને પૂછવાનું છે કે જિંદગીમાં ધક્કો વાગે ત્યારે શું છલકાશે? શું ઢોળાશે?

👉🏻આનંદ ?
👉🏻આભાર ?
👉🏻શાંતિ ?
👉🏻માનવતા ?
👉🏻વિનમ્રતા ?
કે પછી
👉🏻ગુસ્સો ?
👉🏻કડવાશ ?
👉🏻ખરાબ શબ્દો ?
👉🏻ખરાબ વર્તન?

આપણામાંથી કશુંક સારું જ છલકાય, ઢોળાય એ માટે, જીવનને સત્સંગ, ક્ષમા, આનંદ , શાંતિ , દયા, પ્રેમ, સકારાત્મકતા, સ્નેહપૂર્ણ શબ્દો અને નમ્રતા થી ભરી દો.

પછી ભલે જીવનમાં ધક્કો વાગે “કશુંક સારું જ છલકાશે.”

આ પણ વાંચો : ઘડિયાળ નો અમૂલ્ય સંદેશ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *