ભાદરવાના તાપ અને તાવથી બચવા પાંચ ઘરગથ્થુ ઉપાયો

ન્યુમોનિયા ના લક્ષણો

ભાદરવાના તાપ અને તાવથી બચવા પાંચ ઘરગથ્થુ ઉપાયો

આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે – रोगाणाम् शारदी माता. અને ‘ યમની દાઢ ‘ પણ કહી. આપણામાં એક આશિર્વાદ પ્રચલીત હતો. शतम् जीव शरदः એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ એવી શુભેચ્છા આપવામા આવતી. આવું કેમ ? વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ.

ભાદરવાના પાંચ ઘરગથ્થુ ઉપાયો

(૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે સુતા પહેલા સુદર્શન/મહાસુદર્શન ઘનવટી – ૨-૩ ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી. વાંચો : સુદર્શન ચૂર્ણ છે સો દર્દની એક દવા

(૨) અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ -ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવુ. ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ.

(૩) જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકેલ કેળાને છુંદીને એમા સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવુ. પણ કેળા સાથે ઘી પાચનમા ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બેએલચી વાટીને ઉમેરી દેવી. જો ખીર અને કેળા – બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવુ.

કેળા

(૪) ભલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.

(૫) ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલુ ચાલવુ. ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબા ના આયોજન પાછળનુ રહસ્ય આ જ હતુ – પરસેવો પડે.

सर्वे भवन्तु सुखिनः – सर्वे सन्तु निरामयाः આ માહિતી આપણા દરેક ગુજરાતી પરિવાર સુધી પહોંચાડી સમાજને બીમારીથી બચાવવામાં તમે તમારી ફરજ નિભાવો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *