શોક ના સમાચાર મળતા ફોન પર કેવો શિષ્ટાચાર વ્યવહાર કરવો જોઈએ?

ગુજરાતી શેરો શાયરી

શોક ના સમાચાર મળતા ફોન પર કેવો શિષ્ટાચાર વ્યવહાર કરવો જોઈએ?

ગુજજુમિત્રો, આજે હું એક બહુ જ મહત્ત્વની વાત પર લેખ શેર કરી રહી છું. આપણે ત્યાં કહેવાય છે કે જન્મ, મરણ અને લગન ભગવાન નક્કી કરે છે અને જીવનના આ સૌથી અગત્યના દિવસે તો વ્યવહારમાં ઊભું જ રહેવું જોઈએ. પણ કોરોનાકાળ મા પ્રત્યક્ષ જવું સંભવ નથી ત્યારે અહીં હું જણાવવા માગું છું કે શોક ના સમાચાર મળતા ફોન પર કેવો શિષ્ટાચાર વ્યવહાર કરવો જોઈએ? આવો એક સંવેદનશીલ સમાજનું નિર્માણ કરીએ.

Car service

???? મરણના દિવસે અને તે પછીના દિવસે ફોન કરવાનું ટાળો.

???? મૃતકના સ્વજનો અંતિમ ક્રિયામાં, નિકટના સ્વજનોને સાંત્વના આપવામાં અને બીજી કેટલીક વ્યવસ્થાઓમાં રોકાયેલા હોય છે. વળી મરણના આઘાતમાંથી બહાર આવી સ્વસ્થ થઈ, વાત કરવાની સ્થિતિ પર આવવા તેમને સમય જોઈતો હોય છે.

???? એકવાર ફોન ન ઉપડે તો વારંવાર ફોન ના લગાડો. બની શકે કે તેઓ કોઈ બીજા આગંતુક સાથે વાત કરતા હોય, ભોજન કરતા હોય અથવા મરણ પ્રસંગે લાગતા માનસિક અને શારિરિક થાકને કારણે આરામમાં હોય.

???? મૃતકના મરણનું કારણ બીજા સગાઓ પાસેથી જાણી લ્યો. મૃતકના સ્વજનને વારંવાર આ કહેવું ગમતું નથી હોતું.

???? સાંત્વના ખૂબ ઓછા શબ્દોમાં આપો. આપે યાદ કરી ફોન કરવા સમય ફાળવ્યો છે એટલું જ બસ છે. વધુ લાંબી વાતથી કોઈ ફરક પડતો નથી.

???? વાતને અંત તરફ લઈ જવા તમારે જ પહેલ કરવી. ઘણીવાર બંને બાજુ શબ્દો શોધવાના ફાંફાં પડતા હોય પણ એકબીજાની શરમને કારણે બેમાંથી કોઈ ફોન કાપતું નથી અને બંને હેરાન થતા હોય છે.

શક્ય હોય તો સ્વર્ગસ્થ સાથેના અનુભવો લખીને ફક્ત મેસેજ કરવો.

બધા ગ્રુપમાં ફોરવર્ડ કરવાની જગ્યાએ પર્સનલ શ્રદ્ધાંજલી પાઠવો.

સ્વજનોને વ્યક્તિગત મેસેજ કરો જેથી આ પરિસ્થિતિમાં ડરનો માહોલ ના ઉભો થાય.

મિત્રો, મારી ઈશ્વર ને પ્રાર્થના છે કે આપણને આવી કોઈ પરિસ્થિતિ નો સામનો ન કરવો પડે. પણ જો આવી પરિસ્થિતિ નો સામનો કરવો પડે તો પણ હિંમત થી કામ લેવું અને હિંમત આપવી.

Also read: એક સ્ત્રીના દિવાસ્વપ્નો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *