૪ કાળા મરી ખાવાના ફાયદા તમને હજારો રૂપિયાના ખર્ચાથી બચાવી લેશે

કબજિયાતથી પરેશાન છો તો વાંચો કબજિયાત નો રામબાણ ઈલાજ

ગુજજુમિત્રો, આજકાલ લોકો મેડીકલ ટ્રીટમેન્ટ માટે હજારો રૂપિયા ખર્ચી નાંખતા હોય છે. પણ આજે હું તમને એક અદભૂત વાત જણાવવા માંગુ છું. તમે રોજ સવારે ૪ કાળા મરી (Black pepper) ખાઓ અને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચી જાઓ. કારણકે આયુર્વેદ પ્રમાણે કાળા મરી ખાવાના ફાયદાથી તમારું આરોગ્ય અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. તો ચાલો જાણીએ કાળા મરી ખાવાના ફાયદા અને સાચી રીત.

ઉધરસ માં મદદગાર :

ઉધરસ કે ખાંસી થવા પર અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અને અડધી ચમચી મધ મિક્ષ કરીને એને દિવસમાં 3 થી 4 વાર ચાટો, તેનાથી ખાંસી દૂર થઇ જશે.

ગેસની પ્રોબ્લેમ થવા પર :

એના માટે તમે એક કપ પાણીમાં અડધા લીંબુનો રસ નીચવીને, અને એમાં અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અને અર્ધી ચમચી કાળું મીઠું(સિંધવ) મિક્ષ કરીને નિયમિત રૂપથી થોડા દિવસ પીવાથી ગેસની તકલીફ દૂર થઇ જાય છે.

ગળું બેસી જવું :

ગળું બેસી જવા પર કાળામરીને ઘી અને સાકર સાથે મિક્ષ કરવાથી ચાટવાથી બંધ ગળું ખુલી જાય છે, અને અવાજ પણ સૂરીલો થઇ જાય છે. 8-10 કાળી મરી લઈને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી ગળાનું ઇન્ફેકશન દુર થઇ જશે.

ત્વાચારોહણ :

કાળી મરીને ઝીણા પીસીને ઘી માં મિક્ષ કરી લેપ કરવાથી ચામડીનાં રોગ દૂર થઇ જાય છે.

પેટના કૃમિ (કરમિયા, કીડા) દૂર કરવા :

જો તમને પેટમાં કિડાની (કરમિયા) સમસ્યા હોય તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિક્ષ કરીને પી લો. અથવા તો દ્રાક્ષની સાથે કાળી મરી દિવસમાં 3 વાર લો, તમને ફાયદો થશે તેનાથી પેટના તમામ કીડા મરી જશે.

Black pepper

આંખ માટે કાળા મરી :

જો તમારી આંખ નબળી છે, તો કાળા મરીને પીસીને એનો પાઉડર બનાવી લો. અને એને દેશી ગાયના ઘીની સાથે મિક્ષ કરવાથી તેનું નિયમિત સેવન કરવાથી તમારી આંખની કમજોરી દૂર થઇ જશે.

ગઠિયા રોગ :

જે લોકોને ગઠિયાના રોગની પરેશાની છે, તે લોકો તલના તેલને ગરમ કરીને તેમાં કાળા મરી મિક્ષ કરો અને એને ગઠિયા વાળી જગ્યા પર માલીસ કરો, આવું કરવાથી દુ:ખાવામાં આરામ મળશે.

શ્વાસની સમસ્યા :

જો શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા હોય તો ફૂદીનાની છાંસમાં કાળા મરી એડ કરીને ખાવું તમારા માટે ફાયદા કારક સાબિત થશે.

ચહેરા માટે :

કાળા મરી ખાવાથી ચહેરાની ઘણી બધી સમસ્યાઓ જેવી કે દાગ-ધબ્બા, સ્કિનની બીમારીઓ સારી થઇ જાય છે.

હરસમાં પણ ફાયદાકારક :

હરસથી પરેશાન લોકો માટે કાળી મરી દવાથી ઓછા નથી. જીરું, સાકર અને કાળામરીના દાણાને પીસીને પાઉડર બનાવી લો અને આને સવાર સાંજ ખાવો આ પાઉડરથી હરસની સમસ્યા દુર થાય છે. પરંતુ આના માટે તમારે જંકફૂડ અને ઓઈલી ફૂડ ખાવાથી દૂર રહેવું પડશે.

દાંતોની સમસ્યા :

દાંતોની તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંતનો દુ:ખાવો, દાંત ખરાબ થવા વગેરે કાળામરીથી સારું થઇ જાય છે. દાંતમાં દુ:ખાવો થાય ત્યારે કાળામરીના દાણાને ચાવવા જોઈએ, આનાથી દાંતનો દુ:ખાવો સારો થવા લાગે છે. દાંતોમાં પાએરિયાની સમસ્યા હોય તો મરીના પાઉડરને મીઠા સાથે મિક્ષ કરીને દાંતો ઉપર લગાવો. તમને રાહત મળશે.

નબળી યાદશક્તિ :

જો તમને યાદશક્તિ નબળી થવાની સમસ્યા છે, તો મધમાં કાળામરીનો પાઉડર મીક્ષ કરી દિવસમાં 2 વાર સેવન કરો. તમને જરૂર લાભ થશે.

પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા :

પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા થવા પર તમે તરત લીંબુના રસમાં કાળામરીનું પાઉડર અને મીઠું મિક્ષ કરી પી લો. આ તમારી અપચો અને ગેસની સમસ્યાને પણ થોડા સમયમાં દૂર કરી નાખશે.

શરદી અને ખાંસીમાં રાહત અપાવે :

ખાંસી થવા પર મધ સાથે કાળામરીના દાણાને ખાવા જોઈએ, અને આવું દિવસમાં 3 વાર કરવું. કાળા મરીની તીખાસ ગળા અને નાકની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી દે છે. કાળામરી શરદીમાં ખુબજ ફાયદા કારક હોય છે, એટલા માટે દૂધમાં કાળામરી નાખીને નિયમિત પીવાથી શરદીની સમસ્યા દૂર થાય છે

હાઈ બલ્ડ પ્રેશરમાં ફાયદાકારક :

કાળામરી બ્લડ પ્રેસરને નિયંત્રિત કરવા અને શરીરને આરામ અપાવવામાં ઘણા ફાયદાકારક છે. જો તમને હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા છે, તો રોજ જમ્યા પછી એક ચમચી કાળા મરી એક ગ્લાસ પાણી સાથે પીવો તો તમારું બ્લડ પ્રેસર કંટ્રોલમાં આવી જશે.

મિત્રો, નાનકડા કાળા મરી ખાવાના આ ફાયદા વિષે તમારા સ્નેહીજનોને પણ અવશ્ય જણાવજો. મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે.

સ્વાસ્થ્ય સંબંધિત ગુજરાતી લેખો વાંચવા માટે અહીં ક્લીક કરો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *