ગુજરાત જનરલ નોલેજ ૮૪ પ્રશ્નો

આવું છે મારું ગુજરાત!

ગુજરાત જનરલ નોલેજ ૮૪ પ્રશ્નો

  1. મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી?
    Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
  2. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે?
    Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
  3. ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે?
    Ans: મીરાંબાઇ
  4. ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ?
    Ans: ધ્યાની દવે
  5. ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે?
    Ans: ભુજંગ મંદિર
  6. કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું?
    Ans: ડૉ. મધુકર મહેતા
  7. ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે?
    Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
  8. ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ?
    Ans: હજીરા
  9. ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો?
    Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
  10. ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?
    Ans: દિનેશ ભીલ
  11. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું?
    Ans: નાનજી કાલિદાસ મહેતા
  12. ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ?
    Ans: કવિ ભાલણ
  13. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ કોનું છે?
    Ans: નરસિંહ મહેતા
  14. પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી?
    Ans: ઠક્કરબાપા
  15. શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું?
    Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
  16. વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું?
    Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
  17. નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?
    Ans: રૂપાલ
  18. ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ?
    Ans: વલય પરીખ
  19. ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે?
    Ans: નવલરામ
  20. સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું?
    Ans: કાદંબરી
  21. અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ?
    Ans: અરવલ્લી
  22. ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ?
    Ans: રાજકોટ
  23. ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?
    Ans: ઉકાઇ
  24. એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?
    Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
  25. ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ?
    Ans: મધ્ય ગુજરાત
  26. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?
    Ans: કોચરબ આશ્રમ
  27. ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?
    Ans: આદિલ મન્સુરી
  28. વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ?
    Ans: નરસિંહ મહેતાનો ચોરો
  29. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ?
    Ans: દ્રોપદી સ્વયંવર
  30. ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ?
    Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
  31. ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ?
    Ans: મોતીભાઇ અમીન
  32. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો.
    Ans: જયશંકર ભોજક
  33. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે?
    Ans: ટીપ્પણી
  34. સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ?
    Ans: સહ્યાદ્રિ
  35. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ?
    Ans: ભેંસ
  36. કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે?
    Ans: કાકાની શશી
  37. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?
    Ans: સુરખાબ નગર
  38. જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે?
    Ans: ઉપરકોટ
  39. સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે?
    Ans: ઝીણાભાઇ દેસાઇ
  40. અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી?
    Ans: ગૂજરાત વિદ્યાપીઠ
  41. સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે?
    Ans: સ્કાય લાર્ક
  42. ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે?
    Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
  43. ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ?
    Ans: ઉધના
  44. ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો.
    Ans: હેમુ ગઢવી
  45. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે?
    Ans: ભુજ
  46. જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ?
    Ans: અડી કડીની વાવ
  47. આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે?
    Ans: કચ્છ
  48. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?
    Ans: ભૂમાનંદ સ્વામી
  49. રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે?
    Ans: જેમ્સ ફર્ગ્યુસન
  50. ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ?
    Ans: ઉકાઇ બંધ
  51. સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
    Ans: હલ્લીસક
  52. ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?
    Ans: ગાંધી માય ફાધર
  53. કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે?
    Ans: લેલાં
  54. શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે?
    Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
  55. ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે?
    Ans: જયોતીન્દ્ર હ. દવે
  56. ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં?
    Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
  57. ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ?
    Ans: તાતારખાન
  58. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.
    Ans: વલભી વિદ્યાપીઠ
  59. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે?
    Ans: ગુજરાત
  60. શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ?
    Ans: દ્વારકા
  61. ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે?
    Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
  62. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ?
    Ans: કવિ ભોજા ભગત
  63. ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે?
    Ans: સરદાર સરોવર
  64. શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે?
    Ans: નવોદય શાળાઓ
  65. નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ?
    Ans: સાબરમતી નદી અને સરસ્વતી
  66. ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ?
    Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
  67. કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે?
    Ans: પ્રીતી સેનગુપ્તા
  68. કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ
  69. અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો?
    Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
  70. ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે?
    Ans: જામ રણજીતસિંહ
  71. પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે?
    Ans: ડાંગ
  72. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું?
    Ans: હિંદ સ્વરાજ
  73. એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?
    Ans: શૂન્ય
  74. કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે?
    Ans: શરદ પૂર્ણિમા
  75. ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ?
    Ans: ઉંઝા
  76. પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે?
    Ans: બળવંતરાય ક. ઠાકોર
  77. ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans: અંશુમાન ગાયકવાડ
  78. સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ?
    Ans: ઓખા
  79. ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ?
    Ans: સાવરકુંડલા
  80. રીંછનો પ્રિય ખોરાક શું હોય છે?
    Ans: ઉધઇ
  81. ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે?
    Ans: સંત પીપાજી
  82. શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી?
    Ans: મૃત્યુનો ગરબો
  83. અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી?
    Ans: પ્રભાસ પાટણ
  84. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ?
    Ans: હિંગોળગઢ

Click here to read posts related to Gujarat.

You may also like...

1 Response

  1. Harsh says:

    Wowwwwwww! I found it very useful. બહુ મસ્ત લેખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *