જાપાનીઝ સંશોધન પ્રમાણે બીમારી નું કારણ

બીમારી નું કારણ

ગુજ્જુમિત્રો, આજે હું તમને એક મહત્ત્વની વાત કરવા માગું છું. ઘણીવાર આપણે વારંવાર બીમાર પડવાથી કંટાળી જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ. તો ઘણીવાર કોઈ એવી બીમારી થઈ જાય છે જેનો શહેરના શ્રેષ્ઠ ડોક્ટર પાસે ઉપચાર લેવા છતાં, આયુર્વેદિક વૈદ્ય પાસે જવા છતાં , હેલ્ધી ખોરાક ખાવા છતાં એ બીમારી થી છુટકારો નથી મળતો. મિત્રો બીમારી નું કારણ હંમેશા એક્સ રે કે બ્લડ ટેસ્ટ કરાવીને પકડી શકાતું નથી. જાપાન માં થયેલા એક સંશોધન પ્રમાણે બીમારી નું કારણ છુપાયેલું છે આપણાં માનસિક અને ભાવનાત્મક વલણમાં. વધુ માહિતી માટે આગળ વાંચો :

  1. એસિડિટી માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ માનસિક તાણ નું વધુ પ્રભુત્વ ધરાવે છે.
  2. હાયપરટેન્શન માત્ર મીઠું ખાદ્યપદાર્થોના વપરાશથી જ નહીં, પરંતુ મુખ્યત્વે મેનેજિંગ લાગણીઓ માં ભૂલોને લીધે પણ થાય છે.
  3. કોલેસ્ટેરોલ માત્ર ફેટીવાળા ખોરાકને લીધે જ નથી, પરંતુ વધુ આળસ અથવા બેઠાડુ જીવનશૈલી વધુ જવાબદાર છે.
  4. અસ્થમા ફેફસાંમાં ઓક્સિજન પુરવઠોના વિક્ષેપને કારણે જ નહીં, પરંતુ ઘણી વાર દુઃખની લાગણીઓ ફેફસાંને અસ્થિર બનાવે છે.
  5. ડાયાબિટીસ માત્ર ગ્લુકોઝના વધુ વપરાશના કારણે નહીં, પરંતુ સ્વાર્થી અને હઠીલું વલણ સ્વાદુપિંડના કાર્યમાં વિક્ષેપ પાડે છે.
  6. કિડની પત્થરો: ફક્ત કેલ્શિયમ ઓક્સલેટ ડિપોઝિટ જ નહીં, પરંતુ અવ્યક્ત લાગણીઓ અને ધિક્કાર જવાબદાર છે.
  7. સ્પૉંડિલાઈટિસ: ફક્ત એલ 4 એલ 5 અથવા સર્વિકલ ડિસઓર્ડર નહીં; પરંતુ વધુ પડતા ભારથી અને ભવિષ્યની ખૂબ જ ચિંતાઓ ને લીધે થાય છે.

તેથી ગુજ્જુમિત્રો, જો આપ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો માત્ર દવાઓ અને શારીરિક વ્યાયામ નહીં પણ મનને પણ હળવું રાખવું જરૂરી છે. હૃદયને પણ સાફ રાખવું જરૂરી છે. મને આશા છે કે નીચે જણાવેલા અમુક સૂચનો તમને મદદરૂપ થશે.

Buddha

▪ગુસ્સો ના કરો.
▪એકબીજા ને માફ કરો.
▪બીજા પાસે બહુ અપેક્ષાઓ ના રાખો.
▪તમારી પણ એટલી જ ભૂલો થાય છે કે જેટલી બીજાની એટલે કડક અભિગમ ના રાખો.
▪અંતે તો રાખ થઈને માટીમાં જ મળવાનું છે એટલે અહમ ના રાખો.
▪કમ ખાવ ગમ ખાવ.
▪પૂરતી ઊંઘ લો.
▪નિયમિત જીવન જીવો.
▪ખોટી ચર્ચા દલીલો થી બચો.
▪દરેક સાથે પ્રેમથી વર્તો અને દરેક ને માન આપો.
▪તમારાથી નાની ઉંમરનાંઓને મદદરૂપ થાવ અને તમારાથી મોટાંઓને સન્માન આપો. કારણ પહેલો તબક્કો તમારો ભૂતકાળ છે અને બીજો ભવિષ્ય કાળ.
▪સદાય પ્રસન્ન રહો.
▪ધ્યાન પ્રાણાયામ કરો, જે તમારા આત્મા અને મનને મજબૂત કરશે.

Also read : તંદુરસ્તીની ચાવી

You may also like...

1 Response

  1. NITIN says:

    ખૂબજ સુંદર ????????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *