નાભિ માં છુપાયેલો છે દરેક બીમારીનો ઉપચાર

નાભિ ઉપચાર

ગુજ્જુમિત્રો, આજકાલ આપણે અનેક પ્રકારની નવી નવી બીમારીઓ જોઈએ છીએ. મોટાભાગે લોકો એલોપેથી ઈલાજ અપનાવે છે જેમાં કમી ખોટું નથી. પરંતુ તેની સાથે સાથે આપણાં પૂર્વજો ના નાભિ ઉપચાર ને અજમાવી જુઓ. બની શકે તમી બહુ જલ્દીથી સાજા થઈ જાઓ.

નાભિ ઉપચાર વિષે ની સત્ય ઘટના

એક ૬૨ વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ શરુ થયું!! ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપૉર્ટ આવ્યા!! હવે તેઓ તે આંખ થી જીવનભર જોઈ નહિ શકે. આવુ કહેવામાં આવ્યું. ત્યારે આ વડીલે નાભિ ઉપચાર કરવાનો શરૂ કર્યો કારણકે તેની કોઈ આડઅસર નહોતી તેમજ તેઓ પોતે જ ઘર બેઠા આ સહેલાઈથી કરી શક્તા હતા. મિત્રો, તમને આશ્ચર્ય થશે કે તેમની ડાબી આંખમાં સો ટકા વિઝન પાછું આવી ગયું.

નાભિ અને ગર્ભની ઉત્પત્તિ

આપણું શરીર એ પરમાત્મા ની એક અદભુત દેન છે. ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડથી પોષણ મળે છે. ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે!! અને એટલે જ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.

નાભિ ઉપચાર અને રક્તવાહિની

નાભિની પાછળના ભાગમાં “પેચોટી” હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની આવેલી હોય છે. આપણા શરીરની કૂલ રક્તવાહિનીઓની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી લંબાઇ હોય છે. નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિની સુકાઈ રહી છે, એટલે એમાં એ તેલ ને પસાર કરીને નાખે છે.

નાભિમાં તેલ શા માટે લગાડવું જોઈએ?

જયારે બાળક નાનું હોય છે અને એના પેટ માં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરત જ બાળકનું પેટ દુ:ખવુ મટી જતુ , બસ તેલનું પણ એવુ જ કામ છે. ઘી અને તેલ ને નાભી માં નાખવા માટે ડ્રોપર નો ઉપયોગ કરવો જેથી ઘી અને તેલ નાખવુ સરળ રહે .

Navel

નાભિમાં કઈ બીમારીમાં શું લગાડવું જોઈએ?

શારીરિક દુર્બળતા માટે : નાભિમાં ગાયનું શુદ્ધ ઘી અને તેલ લગાડવાથી ઘણા બધા શારીરિક દુર્બલતા ના ઉપાય થાય છે.

આંખોની ડ્રાયનેસ , નજર કમજોર થવી, ચમકદાર ત્વચા અને વાળ માટે : સુતા પહેલા ત્રણ થી ચાર ટીપા શુદ્ધ ઘી અને કોપરેલ તેલ નાભિમાં નાખવુ અને નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ માં પસરાવી નાખવું.

ઘૂંટણના દર્દ માટે : સુતા પહેલા ત્રણ થી પાંચ ટીપા એરંડિયા નું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ.

શરીર મા ધ્રુજારી તથા સાંધા નું દુખવું તથા સુકી ત્વચા ના ઉપાય માટે : રાત્રે સુતા પહેલા ત્રણ થી પાંચ ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવું .

મોઢા ઉપર તથા વાંસામાં થતા ખીલ માટે : લીંબડા નુ તેલ ત્રણ થી પાંચ ટીપા નાભિમાં ઉપર મુજબ નાખવું.

You may also like...

2 Responses

  1. Nirmil says:

    Very very great

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *