ભગવદગીતા ના પ્રત્યેક અધ્યાયનો સારાંશ

ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજી

ભગવદગીતા ના પ્રત્યેક અધ્યાયનો સારાંશ

ગુજજુમિત્રો, આજે હું તમને ભારતના મહાન ગ્રંથ ભગવદગીતા ના સારા વિષે જણાવવાની છું. તમે જાણતા જ હશો કે તેમાં અઢાર અધ્યાય રહેલા છે. આ લેખ વાંચો અને જાણો ભગવદગીતાના પ્રત્યેક અધ્યાયનો માત્ર એક વાક્યમાં સારાંશ :-

અધ્યાય પહેલો : ખોટી સમજ એ બધાં દુઃખોનું મૂળ છે.

અધ્યાય બીજો : મુશ્કેલીઓનું નિવારણ એકમાત્ર સાચા જ્ઞાનથી થાય.

અધ્યાય ત્રીજો : નિઃસ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ છે.

અધ્યાય ચોથો : દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે.

અધ્યાય પાંચમો : વ્યક્તિત્વના અહંકારનો ત્યાગ કરો અને અનંતના આનંદમાં વિચરો.

અધ્યાય છઠ્ઠો : દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી જોડાઓ.

અધ્યાય સાતમો : તમે જે શીખ્યા છો એનું પાલન કરો.

અધ્યાય આઠમો : તમારાં પ્રયાસો સાતત્યથી ચાલુ રાખો.

અધ્યાય નવમો : તમારાં પર વરસાવેલાં આશીર્વાદ માટે એની કૃપા સમજો.

અધ્યાય દસમો : તમારી આસપાસ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરો.

અધ્યાય અગિયારમો : સત્ય જાણવાં પૂરતી પૂર્ણ શરણાગતિ સ્વીકારો.

અધ્યાય બારમો : તમારું મન ભગવાનની સાથે જોડાયેલું રાખો.

અધ્યાય તેરમો : માયાથી પોતાને અળગા કરીને અદ્યાત્મિકતા સાથે જોડાઓ.

અધ્યાય ચૌદમો : તમારી જીવનશૈલી તમારાં જીવનનાં ધ્યેય પ્રમાણે રાખો.

અધ્યાય પંદરમો : આધ્યાત્મિકતા ને પ્રાથમિકતા આપો.

અધ્યાય સોળમો : સારા થવું એ પોતેજ પોતાનામાં એક પુરસ્કાર છે.

અધ્યાય સત્તરમો : જે ગમે છે એના કરતાં જે સત્ય છે એનો સ્વીકાર કરવો એજ ખરી તાકાત છે.

અધ્યાય અઢારમો : જતુ કરો, આત્માને પરમાત્મા સાથે જોડાવા દો.

Click here to read more spiritual posts.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *