શું તમે તમારા પતિથી સુખી છો? – વાંચો સચોટ જવાબ

તણાવ દૂર કરવાના ઉપાયો

શું તમે તમારા પતિથી સુખી છો? – વાંચો સચોટ જવાબ

નવાગંતુક માર્કેટિંગ ડિરેક્ટરના સ્વાગત સમારોહમાં એમની સાથે આવેલ એમની પત્નીને અન્ય સ્ત્રીઓએ પૂછ્યું

“શું તમે તમારા પતિથી સુખી છો?”

નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત જવાબની આશામાં, વિશ્વાસ સાથે,થોડા ટટ્ટાર થઇ ગયા. એમને ખાતરી હતી કે એમની પત્નીનો જવાબ હકારમાં જ હશે.

એમને અને બીજા બધાંને પત્નીનો જવાબ સાંભળીને સખત આંચકો લાગ્યો, જયારે તેણે કહ્યું,

“ના, હું મારા પતિથી સુખી નથી !”

આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ! પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ! એ માની જ નહોતા શકતા કે એમની પત્ની આવું કહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે.

પોતાના માથા પરનો સ્કાર્ફ સરખો કરતાં એ સ્ત્રીએ આગળ કહ્યું :

“ના, હું એમનાથી સુખી નથી, હું [ જાતે સમજણથી ] સુખી છું ! હું સુખી છું કે કેમ, એ બાબત એમના પર આધારિત નથી, એ બાબત મારા પર આધાર રાખે છે! મારું સુખ ફક્ત મારા પર આધાર રાખે છે.”

તમે તમારા પતિથી સુખી છો?

“જિંદગીની હરેક પરિસ્થિતિમાં, હરેક ક્ષણમાં હું સુખનો અનુભવ કરવાનું પસંદ કરું છું. સુખનો અનુભવ કરવા માટે મારે બીજા લોકો પર, બીજી બાબતો પર કે પરિસ્થિતિઓ પર આધાર રાખવાનો હોય તો તો હું મુશ્કેલીમાં મૂકાઈ જઉં !”

ગુજ્જુમિત્રો, આપણી જિંદગીમાં અસ્તિત્વ ધરાવે છે એ તમામ વસ્તુઓ પરિવર્તનશીલ છે : માણસો, સંપત્તિ, મારું શરીર, હવામાન, ખુશીઓ આ તમામ પરિવર્તનશીલ છે..મારી જિંદગીમાં હું કેટલીક બાબતો શીખી છું : હું સુખી છું એવો નિર્ણય હું કરી લઉં છું. બાકીની તમામ બાબતો “અનુભવો” યા તો “પરિસ્થિતિઓ” નો વિષય છે!

જેમ કે મદદરૂપ થવું, સમજવું, સ્વીકારવું, સાંભળવું, સધિયારો આપવો: મારા પતિ સાથે હું આમ જ જીવું છું. સાચું સુખ મળે છે ક્ષમાવાન થવામાં, તેમ જ ખુદને અને બીજાં બધાંને ચાહવામાં. …..

મને સુખી કરવાની જવાબદારી મારા પતિની નથી. એની પાસે પણ એના પોતાના “અનુભવો” કે “પરિસ્થિતિઓ” છે! અમારા સંજોગો ગમે તે હોય, પણ હું એને ચાહું છું, અને એ મને ચાહે છે.

એ બદલાતા રહે છે, હું પણ બદલાતી રહું છું. વાતાવરણ બદલાતું રહે છે. તમામ વસ્તુઓ બદલાતી રહે છે ક્ષમાશીલતા હોય, સાચો પ્રેમ હોય અને પરિવર્તનો તો હંમેશા આવે જ છે એ જોયું હોય
તો બંનેએ એક બીજા માટે પોતાના હદયમાં રહેલા પ્રેમ વડે આવા પરિવર્તનોને ઝીલવા જોઈએ.

Padma 4

જો આપણે બેઉ એકબીજાને પ્રેમ કરતાં રહીએ અને માફ કરતાં રહીએ તો પરિવર્તનો એવા “અનુભવો” બની રહેશે જે આપણને સમૃદ્ધ કરે અને શક્તિશાળી બનાવે. એમ નહીં થાય તો આપણે ફક્ત “સાથે જીવન ગુજારનાર” બની રહેશું.

સાચો પ્રેમ કરવો કઠિન છે. સાચો પ્રેમ એટલે અપેક્ષારહિત ક્ષમા આપવી. પરિસ્થિતિઓને જેમ છે એમ જ સ્વીકારવી. અને એમને સાથે રહીને ઝીલવા અને પરિણામથી ખુશ રહેવું.

એવા કેટલાય લોકો છે, જે કહેશે: હું સુખી થઇ શકું એમ નથી …… કારણ કે હું રોગગ્રસ્ત છું ……. કારણ કે મારી પાસે એક પણ પૈસો નથી ……… કારણ કે ભયંકર ગરમી છે ……………..કારણ કે એમણે મારું અપમાન કર્યું છે ……….. કારણ કે એ હવે મને પ્રેમ કરતો નથી ……. કારણ કે એ હવે મારા વખાણ કરતો નથી!

પણ તમને ખબર નથી કે રોગગ્રસ્ત હોવા છતાં, ભયંકર ગરમી હોવા છતાં, પૈસા ના હોવા છતાં, અપમાનિત થવા છતાં, પ્રેમ ના મળવા છતાં, કે ખ્યાતિ ના મળવા છતાં તમે સુખી રહી શકો છો. સુખી હોવું એ જીવન વિશેનું આપણું મનોવલણ છે અને એ આપણે નક્કી કરવાનું છે!

સુખી હોવું એ તમારા પર નિર્ભર કરે છે !

Also read : હું સાબિત કરી શકું છું કે તમે નસીબદાર છો!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *