બાલ્કની ગાર્ડન એટલે પ્રકૃતિની બારી

Balcony garden

બાલ્કની ગાર્ડન એટલે ઘરના ફળિયાનો બગીચો !!

ગુજ્જુમિત્રો, પહેલાના જમાનામાં આપણાં વડીલો સ્વતંત્ર ઘરમાં રહેતા હતા એટલે તેમના માટે ઘરના ફળિયામાં બગીચો બનાવવો સંભવ હતો. આજકાલ મોટાભાગના લોકો ઊંચી ઊંચી ઈમારતોમાં ફ્લેટ લઈને રહે છે. તેમની પાસે ફળિયાના નામ પર બસ એક-બે બાલ્કની હોય છે. પણ કહેવાય છે ને જ્યાં ચાહ ત્યાં રાહ અને મન હોય તો માળવે જવાય. એટલે જ આધુનિક જીવનમાં બાલ્કની ગાર્ડન ની સંકલ્પના હકીકતમાં બદલાવવા લાગી છે. તમારી પાસે મોટું ફળિયું હોય કે બાલ્કની, તમારા પોતાના બગીચા માટે આ લેખ વાંચો અને પોતાને પ્રકૃતિની સુંદરતા ભેટ કરો.

બાલ્કની ગાર્ડન માટે કૂંડું કેવું હોવું જોઈએ?

???? કુંડું પસંદ કરો તો એની નીચે તળીયામાં વધારાનું પાણી નીકળી જાય એવા ત્રણ ચાર કાણાં છે કે નહીં તે ચેક કરો.

???? જો કાણાં ન હોય તો કાણા પાડો.

બાલ્કની ગાર્ડન

કુંડામાં માટી કેવી હોવી જોઈએ?

???? નવો છોડ રોપવા માટે નવા કુંડામાં જુના સુકાઇ ગયેલા છોડના કૂંડાની માટી ક્યારેય ન વાપરો.

???? નવી માટી બનાવવા માટે ખેતરની સારી માટીનો ઉપયોગ કરો, 50% માટી, 40 % જુનુ કોહવાયેલું છાણીયું ખાતર અને 10% ચાળેલી ઝીણી રેતને બરાબર મીક્ષ કરી ઉપયોગ કરો.

???? કુંડામાં પહેલાં ત્રણ ચાર ઇચ (કૂંડાની ઉંચાઇની સાઇઝ પ્રમાણે) મોટા કાંકરાની રેત અથવા ઇંટોના રોડાં ભરો.

બાલ્કની ગાર્ડન માટે કયો છોડ યોગ્ય ગણાય?

???? છોડ પસંદ કરતી વખતે મોટે ભાગે સીઝનલ છોડ ન લો, એ મોંઘા હશે અને એક સીઝનથી વધારે રહેશે નહીં.

???? સારો ફુટેલો તંદુરસ્ત છોડ લો, એ લેવા જતાં સાંથે એકદમ ધારદાર છરી કે ચાકુ લઇને જાવ, જો નર્સરીમાં એ છોડ પ્લાસ્ટીક બેગમાં રોપેલો હોય અને એના મૂળિયાં જમીનમાં ઉતરેલા હોય તો, એને ખેચીને ન કાઢવા દો, પણ છરી ચપ્પાથી કપાવીને લો.

???? લાવ્યા પછી એને તરત બાગ કે કુંડામાં ન વાવો, પણ જ્યાં રોપવાનો હોય ત્યાં અઠવાડિયું એને મુકી રાખો, એ નર્સરીના વાતાવરણમાં હતો, તેથી તેને તમારા ગાર્ડન કે ઘરના વાતાવરણ તાપને અનુકૂળ થવા દો.

બાલ્કની ગાર્ડન

છોડ રોપતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

???? રોપતી વખતે ઠાંસી ઠાંસીને માટી ન ભરો.

???? રોપીને ત્યાં સુધી પાણી આપો જ્યાં સુધી પાણી કૂંડાની નીચેના કાણાંમાંથી નીકળે નહીં. આમ કરવાથી માટી બેસી જશે અને વધારાનું પાણી નીકળી જાય છે કે નહી તે ચેક થશે. યાદ રાખો પાણી ભરાઇ રહેવાથી મૂળ કહોવાશે. છોડના મૂળને પાણી ની નહીં ભેજની જરુર છે.

કાતરનો ઉપયોગ કરવો કેમ જરૂરી છે?

???? એક અતિ મહત્વની વાત એ છે કે કુંડામાં કે બાગમાં છોડની રોપણી થયા બાદ તુરંત અતિ ધારદાર કાતરથી એના 50% પાન દુર કરો, તથા નિર્દય અને કઠોર બની તેની પરની કળીઓ, ફૂલ કે ફળ (જો હોય તો) કાતરથી દૂર કરો.

???? યાદ રાખો નર્સરી વાળાએ છોડ વેચવાનો છે, એણે ફૂલ, કળી, ફળ ગ્રાહકને બતાવવા રાખ્યા હશે , પણ આપણે છોડ વેચવાનો નથી, આપણે તેને ઉછેરવાના છે.

???? આમ કરવાથી છોડ પોતાની શક્તિ પાન, કળીઓ, ફૂલ અને ફળને વિકસાવવામાં નહી પણ મૂળને વિકસાવવા વાપરશે, જો આમ નહીં કરો તો તરત પ્લાન્ટેશન કરેલા અને થોડેઘણે અંશે ક્ષતિ પામેલા મૂળ (રુટ) પર છોડ પર રહેલા વધારે પાન, કળી, ફુલ, ફળને પોષણ પુરું પાડવાની જવાબદારી વધશે અને તે જલ્દીથી કરમાઈ જશે.

???? ચોમાસામાં કેક્ટસ કૂળના છોડને સીધા વરસાદથી દૂર રાખો. અને વાદળ હોય, સતત વરસાદ હોય ત્યારે જરુરીયાત મુજબ અઠવાડીયે જ પાણી આપો.

કેકટસ

સ્નેહ અને મમતાથી સિંચન કેવી રીતે કરવું?

???? જો તમે એની કાયમી સંભાળ ન રાખી શકતા હો તો ન વાવો, અને એ છોડ સાચા માણસના હાથમાં જશે તો જ પર્યાવરણમાં જીવ આવશે .

???? બાગાયત અને પ્લાન્ટેશન દેખાદેખી કે અતિ ઉત્સાહથી નહીં પણ તમને આનંદ આવતો હોય અને શોખ હોય તો જ કરો, કારણ કે આ ધીરજ માંગી લે તેવો સજીવને ઉછેરવાનો શોખ છે.

???? એને દરરોજ હાથ ફેરવી વ્હાલ કરો.

???? દરેક પ્લાન્ટનું નામ પાડો અને એ નામે જ તેને બોલાવો.

ગુજ્જુમિત્રો, મને આશા છે કે આ લેખ તમને મદદરૂપ થશે. આવા જ ઉપયોગી લેખ વાંચવા માટે ગુજ્જુમિત્રો બ્લોગની મુલાકાત લેતા રહેજો.

You may also like...

1 Response

  1. Harsh says:

    A beautiful post on ‘Balcony Gardening’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *