ઝાડા કે મરડા નો અકસીર આયુર્વેદિક ઉપચાર

ઝાડા કે મરડા નો અકસીર આયુર્વેદિક ઉપચાર

ઝાડા કે મરડા નો અકસીર આયુર્વેદિક ઉપચાર

વર્ષાઋતુમાં ખાસ કરીને વાયુના પ્રકોપથી થતી વ્યાધિઓનું પ્રમાણ વધારે જોવા મળે છે, કારણ કે વર્ષાઋતુ એ વાયુના પ્રકોપની ઋતુ છે. આવી વ્યાધિઓમાં મરડાની ગણતરી કરી શકાય. આંતરડામાં પેટમાં જ્યારે મરડાટ-ચૂક સાથે વારંવાર મળપ્રવૃત્તિએ જવું પડે ત્યારે તેને મરડો કહેવામાં આવે છે. પેટમાં ‘મરડાટ’ અથવા ચૂક-આંકડી આવવી એ મરડાનું પ્રત્યાત્મ લક્ષણ છે. મરડાને આયુર્વેદમાં ‘પ્રવાહિકા’ અને અંગ્રેજીમાં ‘એમેબીકડીસેન્ટ્રી કહેવામાં આવે છે. આયુર્વેદમાં મરડાના વાયુ, પિત્તાદિ, દોષાનુસાર ત્રણ તથા રક્તથી થતો મરડો એમ કુલ ચાર પ્રકાર ગણાવ્યા છે.ઝાડા મરડો મટાડવા માટેના અમુક ઉપાયો અહીં જણાવું છુ.

Gujjumitro Advt

મરડા નો આયુર્વેદિક ઉપચાર – ૧૯ અકસીર ઈલાજ

➡️ અજમો, હરડે, સિંધવ અને હિંગની ફાકી થી મરડો મટે છે.

➡️ મેથીના લોટમાં દહીં ભેળવી ને ખાવાથી મરડો મટે છે.

➡️ મરીનું ચુર્ણ છાસમાં ખાવાથી મરડો મટે છે.

➡️ આંબાના સૂકા ફૂલોના ચૂર્ણ લેવાથી ગમે તેવો જુનો મરડો મટે છે. લીંબુના રસને ગરમ કરી તેમાં સિંધવ અને ખડી સાકર મેળવીને પીવાથી મરડો મટે છે.

➡️ ઘોડા તલ અને સાકર વાટી ચાટવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે. મઠ બાફીને તેમાં છીણેલા કાંદા મેળવીને ખાવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.

➡️ કાંદાને બારીક વાટી ત્રણ-ચાર વાર પાણીમાં ધોઈ દહીં સાથે ખાવાથી ઝાડા માં પડતું લોહી બંધ થાય છે,

➡️ ડુંટી એ આદુનો રસ ચોપડવાથી ઝાડા મટે છે.

ઝાડા કે મરડા નો અકસીર આયુર્વેદિક ઉપચાર

➡️ મેથીની ભાજીના રસમાં ખાંડ મેળવીને પીવાથી મરડો મટે છે.

➡️ માખણ અને ખડી સાકર મેળવીને ખાવાથી મરડો મટે છે.

➡️ કેરીના ગોટલાનું ચુર્ણ છાશ અથવા ચોખાના ઓસામણમાં લેવાથી મરડો મટે છે.

➡️ થોડા ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને મરડો મટે છે.

➡️ તુલસીના પાંચ પાન અને બે ગ્રામ સંચળ, 50 ગ્રામ દહીં મેળવીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.

➡️ ગરમ પાણી સાથે સુંઠ ફાકવાથી સૂંઠનો ઉકાળો બનાવી તેમાં રૂપિયાભાર એરંડિયું નાખીને પીવાથી મરડો મટે છે.

➡️ ગાજરનો રસ પીવાથી ઝાડા બંધ થાય છે.

➡️ ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.

➡️ ખજુરના ઠળિયા બળી ને રાખ થઈ ગયા પછી ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ થાય છે.

➡️ એલચીના ફોતરાની રાખ મધમાં ચાટવાથી ઝાડા બંધ થાય છે.

➡️ સુંઠનું ચુર્ણ છાશમાં મેળવી બબ્બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.

➡️ કાચું પપૈયું પાણીમાં ઉકાળી પીવાથી ઝાડા મટે છે. જાયફળ પાણીમાં ઘસીને સવાર સાંજ અડધી ચમચી જેટલું ચાટવાથી ઝાડા બંધ થાય છે.

વાળ ખરતા અટકાવવા માટે જાણો એના કારણો અને ઉપચાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *