ઘરડા મા-બાપ ને વૃદ્ધાશ્રમ માં મોકલતા પહેલા આ કથનો વિશે વાંચો
![વૃદ્ધાશ્રમ વિષે](https://gujjumitro.com/wp-content/uploads/2020/06/Grand-parents-640x500.png)
ઘરડા મા-બાપ ને વૃદ્ધાશ્રમ માં મોકલતા પહેલા આ કથનો વિશે વાંચો
🟠ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું, મન મોટા હોય તો ભેગું રહેવાય.
🟠માઁ-બાપની આંખમાં બે વખત આંસુ આવે છે, દીકરી ઘર છોડે ત્યારે, દીકરો તરછોડે ત્યારે,
🟠ઘરડા માઁ-બાપ ને તરછોડી ને, ઘરડા ઘરમાં ડોનેશન આપે ? ખૂબ સરસ. ઘરની માઁને રડાવે, ને મંદિરની માને ચુંદડી ઓઢાડે, મંદિરની માઁ ખુશ થશે ?
![Old man](https://gujjumitro.com/wp-content/uploads/2022/06/old-man.jpg)
🟠પેટમાં પાંચ દીકરા જેને ભારે નોતા પડયા, એ માઁ પાંચ ફ્લેટમાં ભારે પડે છે?
🟠જે ઘરમાં માઁ-બાપ નું થાય અપમાન, એ ઘરમાં રાજી ન રહે ભગવાન.
🟠જીવતા માઁ-બાપને ચૂપ કરે, મર્યા પછી તેમના ફોટોને ધૂપ કરે, ખુબ જ અશોભનીય.
Also read : તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર નથી – એક નવો દૃષ્ટિકોણ