પતિ પત્ની ના ઝગડા : છુટકારો, સંબંધથી કે કકળાટથી?

છુટકારો

પતિ પત્ની ના ઝગડા : છુટકારો, સંબંધથી કે કકળાટથી?

‘એ મારા ઘરને લાયક જ નથી. કોઈ સંસ્કાર નથી એને. સારું રાંધતા પણ એની મા એ એને નથી શિખવ્યું. એવી ફુવડ ના જોઈએ મને મારા ઘરમાં.’ કૈલાશબહેને ઘરે આવેલા વકીલને ચોખવટ કરી અને ખુશાલના છુટાછેડા માટેની અરજી કરી દેવાનું ફરમાન કર્યું.

‘પણ, એ સહી નહીં કરે અને ના પાડી દેશે તો?’ પતિ પત્ની ના ઝગડા ને કારણે તલાક ના નિપુણ વકીલે શંકા જાહેર કરી.

‘એ ના નહીં પાડે’ ખુશાલે કહ્યું.

‘કેમ?’ વકિલે પૂછ્યું

ખુશાલે એના મમ્મી પપ્પાની સામે જોતાં જોતાં વકિલને જવાબ આપ્યો કે ‘તમે જોયું કોઈ દિવસ કે કોઈ ગાયે કસાઈવાડેથી છુટવાની ના પાડી હોય!’

~ દક્ષા દવે…

Also read : સીનીયર સીટીઝન માટે નવયુવાન બનવાનું રહસ્ય : નવું હુનર શીખો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *