ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીનું આચરણ : ૧૫ સરળ નિર્દેશો

ગર્ભાવસ્થા દરમિયાન

ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રી નું આચરણ કેવું હોવું જોઈએ?

ગુજજુમિત્રો, ગર્ભાવસ્થા દરમ્યાન સગર્ભા સ્ત્રી એ કેવું આચરણ કરવું જોઈએ જેથી બાળક સ્વસ્થ રહે અને સારા ગર્ભસંસ્કાર મળે. ધ્યાનથી વાંચો આ લેખ અને તમારું શું માનવું છે તે ચોક્કસ થી કમેંટ સેકશન માં શેર કરજો.

  1. દિવસ દરમિયાન સૂવું નહીં અને રાત્રે મોડે સુધી જાગવું નહીં. બપોરે શ્રમ ન કરો, આડા પડીને આરામ કરો, પણ ગાઢ નિંદ્રા ન લેવી.
  2. સીધા અને ઘૂંટણ વાળીને સૂવું નહીં, પણ બાજુ બદલીને સૂવું.
  3. ગર્ભાવસ્થા દરમિયાન સખત અને વાંકાચૂંકી જગ્યાએ બેસવું, પગ ફેલાવવા અને લાંબા સમય સુધી નમવું પ્રતિબંધિત છે.
  4. સગર્ભા સ્ત્રીઓએ આ કુદરતી ક્રિયાઓ ને રોકવું નહીં અને પરાણે કરવું નહીં : શ્વાસોશ્વાસ, મળ, પેશાબ, ઓડકાર, છીંક, તરસ, ભૂખ, ઊંઘ, ઉધરસ, કઠોર શ્વાસ, બગાસું આવવું, રડવું.
  5. આ સમયગાળામાં, સંભોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. કારણકે જો શરૂઆત ના ત્રણ મહિના અને છેલ્લા ત્રણ મહિના બહુ ધ્યાન રાખવું જરૂરી છે વળી, આ સમયે સ્ત્રીની તમામ શક્તિ નો ઉપયોગ બાળક ના શારીરિક અને માનસિક વિકાસ પર થવો જોઈએ, સગર્ભા સ્ત્રી ના પોતાના પોષણ માટે થવો જોઈએ. સંભોગ માં પુષ્કળ ઊર્જા વપરાય છે તેથી આ સમયે શક્ય એટલું દૂર રહેવું જોઈએ.
  6. સવારે શુદ્ધ હવામાં ચાલવું ફાયદાકારક છે.
  7. આયુર્વેદ અનુસાર 9 મહિના માટે મુસાફરી કરવા પર પ્રતિબંધ છે.
  8. ગર્ભાવસ્થા દરમિયાન ઢીલા કપડા પહેરો જેથી બાળક નો પૂરતો વિકાસ થાય અને હળવા , આછા રંગના કપડાં પહેરો જેથી રક્તસ્રાવ કે પાણી પડવા ના ડાઘા દેખાય અને તાત્કાલિક મેડિકલ મદદ લઈ શકાય.
  9. અપ્રિય વસ્તુઓ સાંભળશો નહીં અને દલીલોમાં પડશો નહીં. મોટેથી બોલશો નહીં અને ગુસ્સે થશો નહીં. મનમાં ઉત્તેજના પેદા કરતા ભયાનક દ્રશ્યો, ટીવી સિરિયલો ન જુઓ અને આવા સાહિત્ય, નવલકથાઓ વગેરે વાંચો કે સાંભળો પણ નહીં. ઘોંઘાટ અને રોજબરોજ ના ગુનાખોરી ના સમાચાર થી દૂર રહેવું.
  10. દુર્ગંધવાળી જગ્યાએ ન રહો. જ્યાં દુર્ગંધ છે ત્યાં હાનિકારક સૂક્ષ્મ જીવાણુ પણ હોય છે જે રોગ ફેલાવે છે.
  11. શરીરના તમામ અંગોની હળવી કસરત મળે છે, સગર્ભા સ્ત્રી માટે ઘરના સામાન્ય કામ કરવાનું ચાલુ રાખવું ખૂબ જ સારું છે.
  12. સગર્ભાવસ્થામાં ઑક્સીજન ની જરૂરિયાત વધુ હોય છે, તેથી લાંબા શ્વાસ લેવાની અને હળવા પ્રાણાયામની પ્રેક્ટિસ કરી શકાય છે. પવિત્ર, પરોપકારી, શક્તિપૂરીત ભગવન-નામ નો જાપ કરો, જે પણ ભગવાન જેમાં તમારી આસ્થા હોય.
  13. મનને શાંત રાખવા અને શરીરને તણાવમુક્ત રાખવા માટે, દરરોજ થોડો સમય શવાસન આસન નો અભ્યાસ કરો.
  14. દાન ધર્મ કરો, ગાય ને ઘાસ ખવડાવો, કબૂતર ને જુવાર ખવડાવો અથવા કીડી ને લોટ આપો.
  15. ભય, શોક, ચિંતા, ક્રોધને છોડી દો, ધીમા અવાજે વાત કરો અને હંમેશા હસતાં રહો, ખુશ રહો.

રાધા રાણી ની વાર્તા : નિધિવન નું એક રહસ્ય

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *