બારેમાસ ક્યાં વસંત હોય છે

શંકાનું કોઈ સમાધાન નથી

બારેમાસ ક્યાં વસંત હોય છે

અંત નો પણ અંત હોય છે.
કોઈ ક્યાં અનંત હોય છે

પાનખર પણ એક ઘટના છે..
બારેમાસ ક્યાં વસંત હોય છે..

એમ તો બધા લાગે એક સરખા..
ભગવાં પહેરેલ ક્યાં સંત હોય છે..

બધુંય એમ સહજ મળતું નથી..
નાહક માણસ નો તંત હોય છે..

અહીં અવતરવાની શરત હોય છે..
સ્વીકારો, સઘળું નાશવંત હોય છે…!

Also read: આજ નો સુવિચાર : સારા શબ્દોને ઝીલતા શીખો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *