વાયુ, પિત્ત અને કફના સંતુલનનું ગૂઢ રહસ્ય જાણો સરળ ભાષામાં!

ડાયાબિટીસ માટે

વાયુ, પિત્ત અને કફના સંતુલનનું ગૂઢ રહસ્ય જાણો સરળ ભાષામાં!

આજના આધુનિક અને વ્યસ્ત જીવનમાં આપણે જોઈએ છીએ કે અનેક અવનવા રોગો વિષે સાંભળવામાં આવી રહ્યું છે. વળી, આ રોગ મટાડવા માટે આજે એવા ઉપચારો કરવામાં આવે છે કે બકરી કાઢવા જતા ઊંટ પેસે, છતાં બકરી ન પણ નીકળે. તેનું કારણ એ છે કે રોગ કેમ થાય છે, રોગ ની કઈ કઈ અવસ્થાઓ છે અને કઈ અવસ્થામાં શું કરવું જોઈએ તેનું સાચું નિદાન અને જ્ઞાન નથી. ચાલો આજે આયુર્વેદના નિદાનના ત્રણ પાયા – વાયુ, પિત્ત અને કફના સંતુલનનું ગૂઢ રહસ્ય સરળ ભાષામાં જાણીએ.

આમ જોઈએ તો મોટાભાગના રોગોનું મૂળ કારણ તો મંદ અગ્નિ છે. પણ મંદ અગ્નિ થયા પછી રોગ થાય તે પહેલા બીજી કેટલીક ક્રિયાઓ શરીરમાં થાય છે . દોષમાં ‘આમ એટલે કે અપચ્ય ખોરાક’ ભળે ત્યારે, શરીરના એ ભાગમાં દોષ ના લક્ષણો દેખાવા લાગે છે જેને દોષ નો ‘પ્રકોપ’ કહેવાય. પછી એ દોષ આખા શરીરમાં પ્રસરવા માંડે એને દોષનો ‘પ્રસાર’ કહેવાય.

આપણને ત્રણ દોષનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો ચાલો મિત્રો, આજે આપણે એકસાથે વાયુ, પિત્ત અને કફ એમ મુખ્ય ગણાતાં એવા ત્રણ દોષની વાત કરીએ.

વાયુ દોષના લક્ષણો :

વાયુવિકાર પક્ષાઘાત, કંપવાત, બાળલકવો, રાંઝણ, કમરનો દુખાવો, સાંધા દુઃખવા કે જકડાઈ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીઘ્રસ્ખલન, અડદીયો વા, અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી લુખી અને બરછટ થઈ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે.

વાયુ દોષ થવાના કારણો :

મળમૂત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા પછી તરત (ખાધેલું પુરેપૂરું પચ્યા પહેલાં) ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસથી, તીખા, કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી, લુખા પદાર્થોથી, વાદળો થવાથી, ચિંતા, ભય અને શોકથી વાયુ પ્રકોપ તીવ્ર થાય છે.

વાયુ દોષના નિવારણ માટે ઘરગથ્થું ઉપચાર :

૧ ) ૫૦૦ ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં ૧ કિલોગ્રામ ઘી અને ૬ કિલોગ્રામ દૂધ મેળવી ધીમા તાપે ઉકાળી મધ જેવું ઘટ્ટ બનાવવવું. પછી તેમાં ૧.૫ કિલો સાકર નાખી મેથીપાક બનાવવો. આ પાક સવારે ૨૫ થી ૪૦ ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે.

૨) ૧૫-૨૦ ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે.

અજમો

૩) અજમો તવા પર ગરમ કરી, સમભાગે સીંધવ સાથે પીસી ૩ ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે.

૪) આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ મટે છે.

૫) સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી ૩૦-૪૦ ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે.

૬) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે.

પિત્ત દોષના લક્ષણો :

ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે જઠરની અંદર રહેલું એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે.

પિત્ત દોષ થવાનાં કારણો :

ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને જંકફુડના ચટાકાને કારણે અપચો થાય છે, માથુ દુ:ખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી.

પિત્ત દોષના નિવારણ માટે ઘરગથ્થું ઉપચાર :

૧) જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ પિત્તનો ભરાવો દૂર થાય છે.

૨) મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકારમાં અને પિત્તમાં બહુ ફાયદો થાય છે.

૩) અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એર-ટાઇટ ડબામાં મૂકી દેવું. દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે જે પિત્તના કારણે થયું હશે તો મટી જાય છે.

૪) ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો જોઇએ.

૫) કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે.

દાડમ

૬) પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે.

૭) કોઠાનાં પાનની ચટણીનું સેવન કરવાથી પિત્તમાં રાહત મળે છે.

૮) ટામેટાંના રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારોથી છુટકારો મળે છે.

૯) અરવીનાં કૂણાં પાનનો રસ જીરાનો પાઉડર મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે.

૧૦) તાજાં દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્ત પ્રકોપ શાંત થાય છે.

કફ દોષના લક્ષણો :

જ્યારે કફનો દોષ થાય છે ત્યારે શરીરમાં થાક અને સુસ્તીનો અનુભવ થાય છે. શરદી, ઉધરસ, એલર્જી, છીંકો, નાકનું બંધ થવું, સાઈનસની સમસ્યાઓ થાય છે. સૂર્યપ્રકાશમાં સારું લાગે છે. મન મંદ અને નિષ્ક્રિયતાનો અનુભવ કરે છે.

કફ દોષ થવાના કારણો :

કફ જમા થવાના ઘણાં બધાં કારણો હોઈ શકે છે જેમ કે બદલાતી સિઝન, શરદી, ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન, સાયનસ, સ્મોકિંગ વગેરે અને ખાસ કરીને ચોમાસા અને શિયાળામાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આ એવી સમસ્યા છે જેના માટે ક્યારેય દવાઓ ખાવાની જરૂર નથી હોતી પરંતુ ઘરે જ કેટલાક સરળ નુસખા કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે જેના વિશે આજે હું તમને જણાવીશ, જે બાળકોથી લઈને વૃદ્ધોમાં છાતી અને ગળામાં જામેલાં કફની સમસ્યામાં એકદમ અસરકારક છે.

કફ દોષના નિવારણ માટે ઘરગથ્થું ઉપચાર :

૧) આદુ અને મધ : 100 ગ્રામ આદુને પીસી લેવું, તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી લેવું, આ પેસ્ટને દિવસમાં બે વાર બે-બે ચમચી સેવન કરો. છાતી અને ગળામાં જામેલો કફ છુટો પડશે અને આ સમસ્યામાંથી છુટકારો મળશે.

Ginger benefits

૨) સફેદ મરીનો ઈલાજ: અડધી ચમચી સફેદ મરી લઈને તેને પીસી લેવા. ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરી લેવું. આ મિશ્રણ ને 10-15 મિનિટ માઈક્રોવેવમાં રાખવું. આ પેસ્ટ પીવાથી જામેલા કફમાં ખૂબ જ ઝડપથી આરામ મળે છે. કફની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે મિશ્રણ નું એક સપ્તાહ સુધી દિવસમાં ત્રણવાર નિયમિત સેવન કરવું.

૩) મીઠાના પાણીના કોગળા કરવા: એક ગ્લાસ નવશેકું પાણી લેવું અને તેમાં એક ચમચી મીઠું નાખીને તેને સરખું મિક્ષ કરી લેવું. હવે તમારા ગળાને પાછળ તરફ લઈ જઈને આ પાણી મોંમાં ભરીને તેના ધીરે-ધીરે કોગળા કરવા. આ પાણીને ગળી ન જવું. કોગળા કરીને પાણી બહાર કાઢી દેવું. થોડીકવાર સુધી ગળામાં આ પાણી રાખીને તેના કોગળા કરવાથી ચોક્કસપણે તમને ફાયદો થશે અને ગળામાં જામેલો કફ છુટો પડશે. આવું દિવસમાં ત્રણવાર થોડાક દિવસ સુધી કરવુ.

૪) ફેફસાંમાં કફ જામી ગયો હોય તો એક ચમચી અરડૂસીનાં પાનનો રસ દિવસમાં ત્રણથી ચાર વખત લેવાથી કફ છૂટો પડે છે અને ગળફા વાટે નીકળી જાય છે. બજારમાં મળતાં અનેક કફસિરપોમાં અરડૂસી હોય છે.

તો ગુજ્જુમિત્રો, જો તમને વાયુ, પિત્ત અને કફના સંતુલનનું સમાધાન કરવું હોય તો આ ઉપાયો ને અજમાવી જુઓ. તેની કોઈ આડઅસર નથી. જો તમને મદદરૂપ લાગે તો તમારા સ્નેહીજનોને ગુજજુમિત્રોની લીંક જરૂરથી શેર કરજો.

You may also like...

1 Response

  1. NITIN says:

    વાહ ,ખૂબ સુંદર ????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *