બાપુજીની બોધપ્રદ વાતો
![પપ્પા માટે બે લાઈન કહું કે આખું પુસ્તક લખું?](https://gujjumitro.com/wp-content/uploads/2020/06/silhouette-1082129_640.jpg)
તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.
સૂરજ જ્યારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો.
થાક લાગે તેના જેવી ઊંઘની ગોળીની શોધ હજી થઈ નથી.
હાથ ચલાવવાથી અન્નની કોઠીઓ ભરાઈ જાય છે અને જીભ ચલાવવાથી ખાલી થાય છે.
શરીર પિયાનો જેવું છે અને આનંદ એનું મધુર સંગીત છે. વાદ્ય બરાબર હોય તો જ સંગીત બરાબર વાગે છે.